38.9% લોકો મમતા બેનર્જીની સરકારથી અસંતુષ્ટ; શું આ વખતે બંગાળમાં પરિવર્તન થશે?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 અગાઉ સામે આવેલા ઓપિનિયન પોલમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા યથાવય છે. ઓપિનિયન પોલના પરિણામો દર્શાવે છે કે 48.5% લોકોએ મુખ્યમંત્રી પદ માટે મમતા બેનર્જીને તેમની પ્રથમ પસંદગી ગણાવ્યા છે. સર્વે એજન્સી 'વોટ ટ્રેકર' દ્વારા હાથ ધરાયેલા ઓપિનિયન પોલમાં, 33.4% લોકોએ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને તેમના પસંદગીના મુખ્યમંત્રી ગણાવ્યા છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને 3.7%, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્ક્સવાદી (CPM)ના નેતા મોહમ્મદ સલીમને 4.3% લોકોએ પહેલી પસંદ ગણાવ્યા હતા. આ ઉપરાંત 4.9% લોકોએ અન્ય ઉમેદવારોની તરફેણ કરી હતી, જ્યારે 5.2% લોકોએ મુખ્યમંત્રી પદના ચહેરા માટે તેમની પસંદગી અંગે કશું કહી શકતા નથીનો જવાબ આપ્યો હતો.

mamta1
facebook.com/MamataBanerjeeOfficial

બંગાળમાં મમતા બેનર્જીની સરકાર પર જનતાનો ઓપિનિયલ

'વોટ ટ્રેકર' દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસની પસંદગીને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સરકારથી 32.7% લોકો ખૂબ સંતુષ્ટ દેખાયા. 10.6% લોકોએ સારી ગણાવી, જ્યારે 10.2% લોકોએ તેને સરેરાશ પ્રદર્શનવાળી સરકાર ગણાવી. તેનાથી વિપરીત, 18.3% લોકોએ આ સરકારને ખરાબ અને 20.6% લોકોએ તેને ખૂબ જ ખરાબ ગણાવી. 17.6% લોકોએ કહ્યું કે, વર્તમાન સરકાર અંગે કંઈ કહી નહીં શકીએ.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 294 બેઠકોનો છે, જ્યાં પ્રાથમિક સ્પર્ધા શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC 2011 થી રાજ્ય પર શાસન કરી રહી છે. બંગાળમાં મતદાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. મતગણતરી 4 મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં, પ્રથમ તબક્કામાં 152 બેઠકો અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે મતદાન થશે.

mamta
facebook.com/MamataBanerjeeOfficial

આ અગાઉ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ MATRIZE-IANS ઓપિનિયન પોલ સામે આવ્યો હતો. MATRIZE-IANS ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2026ની ચૂંટણીમાં TMC સત્તામાં પાછી ફરી શકે છે. પશ્ચિમ બંગાળમાં સતત ચોથી વખત TMC બહુમતી મળવાનો અંદાજ છે. મેટ્રિઝ-IANSના મતદાન મુજબ, આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCને 155-170 બેઠકો, ભાજપને 100 થી 115 બેઠકો, AIMIMને 5-6 બેઠકો અને અન્યને 0-1 બેઠકો મળવાનો અંદાજ છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.