સરદાર સાહેબ પછી દેશના સૌથી શક્તિશાળી ગૃહપ્રધાન અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

આજે ભારતના પૂર્વ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ તેમને યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, તેમણે સરદાર પટેલની જયંતી પર કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરી. તો ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં સામેલ થયા.

આજે સવારે સૌથી પહેલા અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પિત કરી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય રેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકતાના શપથ લેવડાવ્યા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘એકતા દિવસની શુભકામનાઓ આપું છું. આખો દેશ વર્ષ 2014થી આ દિવસને એકતા દિવસના રૂપમાં મનાવે છે. ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમને સન્માન આપવાનું કામ કર્યું છે. એ સિવાય તેમણે સંબોધનની શરૂઆત લોકોને સરદાર પટેલ જયંતીની શુભકામના આપતા કરી. તેમને કહ્યું કે, આજે આપણા દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની 148મી જન્મજયંતી છે. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી બાદ અંગ્રેજ દેશ છોડીને જતા રહ્યા.

અમિત શાહે આગળ કહ્યું કે, એ સમયે આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે થોડા જ દિવસોમાં 550 કરતા વધુ દેશી રજવાડાઓને એકતાના સૂત્રમાં પરોવીને ભારતનું માનચિત્ર બનાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલના ઈરાદાઓનું પરિણામ છે કે ભારતનું માનચિત્ર છે અને કાશ્મીરથી કન્યા-કુમારી સુધી ભારત એક છે. સરદાર સાહેબ ન હોત તો આપણે અહી ન હોત. આપણે સંકલ્પ લેવાનો છે કે દેશની 100મી વર્ષગાંઠ મનાવી રહ્યા હોઈએ તો ભારત શ્રેષ્ઠ હોય, રાષ્ટ્રીય એકતા દિવસ તેમાં મહત્ત્વપૂર્ણ કડી છે. વડાપ્રધાન આજે કેવડિયામાં સંબોધિત કરશે. આપણે બધા મળીને એ સંકલ્પ લઈએ કે આ રાષ્ટ્રને આપણે સર્વપ્રથમ બનાવીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી દેખાડી.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.