72 વર્ષીય વૃદ્ધે પૈસા બમણા કરવાની લાલચમાં 1.39 કરોડ ગુમાવ્યા

ગુજરાતીમાં એક કહેવત છે, 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે' પોતાની પાસે જરૂર પૂરતા પૈસા હોવા છતાં વધારે પૈસા કમાવવાની લાલચ જાગી અને તેમને આવા ધુતારા ભેટી ગયા અને આખરે પોતાના પૈસા ડબલ તો ના થયા પણ હતા તે પણ ગુમાવ્યા. આવા એક કિસ્સામાં થાણેના કાસરવડાવલી વિસ્તારમાં રહેતા 72 વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિ સાથે સંકળાયેલા એક મોટા ઓનલાઈન શેર ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી જુલાઈ 2025થી સપ્ટેમ્બર 2025ની વચ્ચે થઈ હતી. છેતરપિંડી કરનારાઓએ ભોગ બનનારને એક વોટ્સએપ ગ્રુપ દ્વારા વધારે નફો કમાવવાના વચનો આપીને લલચાવ્યા હતા અને તેમની પાસેથી આશરે રૂ. 1.39 કરોડની છેતરપિંડી કરી હતી.

Share-Trading-Scam1
jagran.com

કાસરવડાવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીનો ફોન અને ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા ઘણી વખત સંપર્ક કર્યો હતો. તેઓએ પોતાને શેરબજારના નિષ્ણાતો અને રોકાણ નિષ્ણાતો તરીકે રજૂ કર્યા હતા. તેઓએ ભોગ બનનારને ખાતરી આપી હતી કે, તેઓએ આપેલી લિંક્સ દ્વારા રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં નોંધપાત્ર નફો થશે.

અધિકારીના જણાવ્યા મુજબ, 'છેતરપિંડી કરનારાઓએ પીડિતને ઘણા વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સભ્યો પોતાને સફળ રોકાણકાર હોવાનો દાવો કરતા હતા. ત્યાંથી, તેઓએ તેમને 'રોકાણ લિંક્સ' મોકલી અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરવાની સૂચના આપી.'

પીડિતએ શરૂઆતમાં છેતરપિંડી કરનારાઓ પર વિશ્વાસ કર્યો અને અનેક હપ્તામાં પૈસા જમા કરાવ્યા. જોકે, થોડા સમય પછી, જ્યારે તેમને કહ્યા મુજબના વચન પ્રમાણે નફો ન મળ્યો, ત્યારે તેમણે આરોપીઓની સવાલ પૂછવાનું શરૂ કર્યું. પછી, છેતરપિંડી કરનારાઓએ અચાનક બધા સંપર્ક કાપી નાખ્યા અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું.

Share-Trading-Scam3
freepressjournal.in

ત્યાર પછી પીડિતને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી. બુધવારે કાસરવડાવલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. પોલીસ હવે આરોપીઓને ઓળખવા અને શોધવા માટે કામ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ સૂચવે છે કે, આ સંગઠિત સાયબર છેતરપિંડીનો કેસ છે. અમારી ટીમો પુરાવા એકત્રિત કરવા અને આરોપીઓને શોધવા માટે કામ કરી રહી છે.

અહીં તમને બતાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં પેથોલોજી લેબના માલિક સાથે પણ આ અગાઉ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી, આ કેસની પોલીસ તપાસ હજુ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.