અન્ના હજારે મહારાષ્ટ્રમાં ફરી આંદોલનનું રણશીંગુ ફુંકશે, હજારો સૈનિકો ભેગા કરશે

કિશન બાપટ બાબુલાલ હજારે જેમને લોકો અણ્ણા હજારે તરીકે જાણે છે તેઓ વર્લ્ડકપ ફાઇનલના દિવસથી એટલે કે 19 નવેમ્બરથી રાલેગણ સિદ્ધીથી ફરી એકવાર આંદોલનનું રણશીંગું ફુંકી રહ્યા છે. આ વખતે તેમનું આંદોલન સૈનિકો માટે હશે. 19 નવેમ્બરે મોટી સંખ્યામાં સૈનિકો આંદોલનમાં જોડાશે. 86 વર્ષની વયે પહોંચેલા અણ્ણા હજુ પણ અડીખમ છે.

અણ્ણા હજારે એક સામાજિક કાર્યકર છે જેમણે ઘણા સામાજિક સુધારાઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમનું સૌથી પ્રસિદ્ધ કાર્ય એ સિસ્ટમમાં જન લોકપાલ બિલની રજૂઆત છે, જેણે ભારતમાં ભ્રષ્ટાચાર-સંબંધિત કેસોની તપાસ કરવા લોકપાલની સ્થાપના કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની દરખાસ્ત કરી હતી.

અણ્ણા હજારે ફરી એકવાર રાલેગણ સિદ્ધિથી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. જેમાં દેશભરના સૈનિકો ભાગ લેશે. આ આંદોલન શા માટે કરવામાં આવી રહ્યું છે. તે હવે જાણો.

રાલેગણ સિદ્ધિમાં ફરી અણ્ણાનું આંદોલન થશે. દેશભરના પૂર્વ સૈનિકો સરકાર સામે લડત આપવા માટે રાલેહણ સિદ્ધીમાં ભેગા થશે.ભૂતપૂર્વ સૈનિકો 19મી નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં વિરોધ પ્રદર્શન કરશે. અણ્ણા હજારે સૈનિકોના આંદોલનને માર્ગદર્શન આપશે. 19 નવેમ્બરે રાલેગણ સિદ્ધીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હજારો સૈનિકો રાજ્યના ખેડુતોની તેમના પાકની ગેરટીં કિંમત મળે, દેશના જવાનોનું ભવિષ્ય સંકટમાં ન રહે, જવાનોના બાળકોને મફત શિક્ષણ મળે આવી બધી તેમની માંગ છે.

રાલેગણ સિદ્ધિ એ પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં આવેલું એક ગામ છે. તે પુણેથી 87 કિમીના અંતરે આવેલું છે. ગામનો વિસ્તાર 982.31 હેક્ટર છે. ગામમાં વૃક્ષારોપણ, જમીનનું ધોવાણ ઘટાડવું, વરસાદી પાણી જાળવી રાખવા માટે નહેરો ખોદવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ઉર્જા માટે, ગામ સૌર ઉર્જા, બાયોગેસ અને પવનચક્કીનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટને ગ્રામીણ પ્રજાસત્તાકના ટકાઉ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

અણ્ણા હજારેએ તેમની જમીન બાળકોની હોસ્ટેલ માટે દાનમાં આપી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પેન્શન દ્વારા મળેલા નાણાંનું પણ ગામના વિકાસમાં રોકાણ કર્યું હતું. આજે પણ અણ્ણા ગામના મંદિરમાં રહે છે અને હોસ્ટેલમાં બાળકો માટે બનાવેલ ભોજન જ ખાય છે. આજે ગામ માત્ર આત્મનિર્ભર નથી, પણ આજુબાજુના ગામોને દૂધ, ઘાસચારો વગેરેનો પુરવઠો પણ પૂરો પાડે છે. આ પ્રયાસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.