CBI સમન્સ બાદ બોલ્યા CM- જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કેસમાં CBI અને EDની કાર્યવાહીને લઈને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનિષ સિસોદિયા વિરુદ્ધ CBI અને EDને અત્યાર સુધી એક પુરાવા મળ્યા નથી. એ છતા ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. આ દરમિયાન CBIના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે જ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં.

અરવિંદ કેજરીવાલે CBI દ્વારા સમન્સ પાઠવવા પર કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં જે દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલ્યો હતો, એ જ દિવસે હું જાણી ગયો હતો કે આગામી નંબર મારો હશે. છેલ્લા 75 વર્ષોમાં કોઈ પણ પાર્ટીને AAPની જેમ નિશાનો બનાવવામાં આવી નથી. અમે લોકોમાં સારા શિક્ષણની આશા વ્યક્ત કરી છે, તેઓ આ આશાને સમાપ્ત કરવા માગે છે. કાલે CBIએ મને બોલાવ્યો છે અને હું નિશ્ચિત રૂપે જઈશ. જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ પણ ઈમાનદાર નથી.

જો ભારતીય જનતા પાર્ટી (BJP)એ મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે તો જાહેર રીતે CBI તેમના નિર્દેશોનું પાલન કરશે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, CBI, EDએ આબકારી નીતિ કેસમાં કોર્ટમાં ખોટી એફિડેવિટ દાખલ કરી, તેઓ મનિષ સિસોદિયા અને મારી વિરુદ્વ જુબાની આપવા માટે લોકો પર અત્યાચાર કરી રહી છે. ED, CBIએ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો, તેમણે 400 કરતા વધુ છાપેમારી કરી, પરંતુ આ રકમ ન મળી.

દિલ્હી આબકારી નીતિ ઉત્કૃષ્ટ હતી, તે ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દે છે. ભાજપ માટે ભ્રષ્ટાચાર કોઈ મુદ્દો નથી અને તેનું ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારની તપાસ કરાવાવનું છે જ નહીં. તેના નેતા પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. એ વાત ભાજપના નેતા સત્યપાલ મલિકે જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના 14 ફોન તોડી દીધા. પછી ED કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેની પાસે છે અને CBI કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારૂ કૌભાંડ થયો છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.