નીતિશ કુમારને ડેપ્યુટી PM બનાવવાની BJPમાં કેમ ઉઠી માંગ, JDUએ અમિત શાહના નિવેદનને યાદ અપાવ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ એક મોટી માંગ કરી છે. તેમણે ગુરુવારે પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, બિહારના CM નીતિશ કુમારને DyPM બનાવવા જોઈએ. કેન્દ્રમાં આવતા પહેલા CM નીતિશ કુમારના મંત્રીમંડળનો ભાગ રહેલા અશ્વિની ચૌબેએ કહ્યું કે, તેઓ જનતા દળ (યુનાઇટેડ)ના વડા CM નીતિશ કુમારને સ્વર્ગસ્થ જગજીવન રામ પછી બિહારના બીજા DyPM તરીકે જોવા માંગે છે.

CM Nitish Kumar
navbharattimes.indiatimes.com

અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું, 'CM નીતીશ કુમારે NDAમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ગઠબંધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને PM નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી રહ્યા છે. મારી વ્યક્તિગત ઇચ્છા છે કે, તેમને DyPM બનાવવામાં આવે. જો આ ઇચ્છા પૂર્ણ થશે, તો બિહારમાં બાબુ જગજીવન રામ પછી તેની ધરતીનો બીજો પુત્ર આ પદ પર બિરાજતો જોવા મળશે.'

CM Nitish Kumar
swatvasamachar.com

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મીડિયાના કેટલાક ભાગોમાં એવી અટકળો ચાલી રહી છે કે 74 વર્ષીય CM નીતિશ કુમારને BJP દ્વારા 'સન્માનપૂર્વક વિદાય' આપવામાં આવી શકે છે. સ્વર્ગસ્થ સુશીલ કુમાર મોદી જેવા BJPના નેતાઓએ તો એવો પણ દાવો કર્યો હતો કે, CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા માંગતા હતા અને આ પદ માટે તેમનું નામ ન વિચારવામાં આવ્યું તેના વિરોધમાં તેમણે 2022માં NDA છોડી દીધું હતું.

જોકે, અશ્વિની ચૌબેની ટિપ્પણીને JDU તેમજ વિપક્ષી પક્ષ RJD દ્વારા બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. JDU પ્રવક્તા નીરજ કુમારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરીને કહ્યું કે, NDAના તમામ સાથી પક્ષો આગામી વિધાનસભા ચૂંટણી માટે CM નીતિશ કુમારને ગઠબંધનના નેતા તરીકે સ્વીકારે છે.

Ashwini Kumar Choubey
bhaskar.com

આ દરમિયાન, RJD પ્રવક્તા એજાઝ અહેમદે અશ્વિની ચૌબે પર નિશાન સાધ્યું અને તેમને BJPના સ્વ-ઘોષિત પ્રવક્તા ગણાવ્યા, જેમને તેમની જ પાર્ટી દ્વારા બાજુ પર રાખવામાં આવ્યા છે અને તેઓ તેમને કે તેમના પુત્રને સ્થાન આપવા તૈયાર નથી. એજાઝ અહેમદે કહ્યું, 'અલબત્ત BJP CM નીતિશ કુમારથી છુટકારો મેળવવા માંગે છે. પરંતુ ચૌબેએ સમજવું જોઈએ કે, અમારા નેતા તેજસ્વી યાદવ CMની ખુરશી પર બિરાજશે. BJPના નેતાઓ ફક્ત બિહારમાં સત્તાની સૌથી મોટી બેઠક વિશે દિવાસ્વપ્ન જોઈ શકે છે.'

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.