દા*રૂ હેરાફેરીમાં પકડાયેલા કિશોરને જેલ નહીં, ટ્રાફિક કંટ્રોલ કરવાની અનોખી સજા

બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં દારૂની હેરાફેરીમાં પકડાયેલા એક કિશોરને કોર્ટએ જેલની જગ્યાએ સમાજ સુધાર સાથે જોડાયેલી અનોખી સજા સંભળાવી છે. કિશોર ન્યાય પરિષદ, ગોપાલગંજના મુખ્ય દંડાધિકારી નિલેશ ભારદ્વાજે બાળકને 30 દિવસ સુધી ટ્રાફિક પોલીસની દેખરેખ હેઠળ સામુદાયિક સેવા કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.

traffic-police
Odisha School

કિશોરનો ગુનો અને કોર્ટમાં કબૂલાત

એક સગીર બાળકને જાન્યુઆરી 2025માં જાદોપુર પોલીસે  81 લિટર દેશી દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ કેસ કિશોર ન્યાય પરિષદની કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુનાવણી દરમિયાન કિશોરે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. તેણે કોર્ટ સમક્ષ જણાવ્યું કે તે સમાજની મુખ્યધારામાં પરત ફરવા માગે છે અને આગળથી આવી ભૂલ નહીં કરે.

કોર્ટનો સુધારાત્મક નિર્ણય

કિશોરની વાતથી કોર્ટ પ્રભાવિત થઈ અને સજા કરતાં સુધારાત્મક માર્ગ અપનાવ્યો. મુખ્ય દંડાધિકારી નિલેશ ભારદ્વાજે જણાવ્યું કે કિશોર ન્યાય અધિનિયમનો હેતુ માત્ર દંડ આપવાનો નથી, પરંતુ સગીરોને ગુનાની દુનિયામાંથી બહાર લાવી સમાજમાં ફરી જોડવાનો છે. આ જ વિચાર સાથે તેમણે કિશોરને જેલ મોકલવાની જગ્યાએ સમાજ માટે કામ કરવાની તક આપવાનું નક્કી કર્યું.

traffic-police2
news18.com

જિલ્લા પોલીસ અધિક્ષકને આદેશ આપવામાં આવ્યો છે કે કિશોરને 30 દિવસ સુધી દરરોજ ટ્રાફિક પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવે, જેથી તે સમાજ માટે સેવા આપવાનું શીખે અને અનુશાસન તથા જવાબદારીનું મહત્વ સમજી શકે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.