કેરળમાં 'જય હિંદ' પર વિવાદ, BJPએ કહ્યું- 'આ ભયની સંસ્કૃતિ છે...'

તાજેતરમાં, કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, અને શપથ ગ્રહણ સમારોહમાં કંઇક એવું બન્યું કે, જેના કારણે રાજકીય વિવાદ ઉભો થઇ ગયો હતો. કેરળના એક કાઉન્સિલરે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 'જય હિંદ' બોલ્યા પછી માફી માંગી હતી. તેમના આ માફી માંગવાને કારણે BJP ગુસ્સે થઇ હતી, અને કેરળ BJP પ્રમુખે તેની ટીકા કરતા કહ્યું હતું કે, આ ભયની સંસ્કૃતિ છે, જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા કરવામાં આવે છે અને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.

Kerala-BJP1
indiatoday.in

રાજધાની તિરુવનંતપુરમના કુરાક્કન્ની વોર્ડમાંથી જીતેલી અખિલા GS શપથ લીધા પછી તેની ઉજવણી કરી રહ્યા હતા અને ઉત્સાહમાં આવીને 'જય હિંદ' બોલાઈ ગયું હતું. જોકે, આવું બોલ્યા પછી તે પરેશાન થઇ ગઈ હતી, ત્યારપછી CPMના નેતૃત્વ હેઠળના ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટના કાર્યકરોએ તેમને દિલાસો આપ્યો, જેમણે કહ્યું કે, આ નારાનો ઉપયોગ દેશને પ્રેમ કરનાર કોઈપણ વ્યક્તિ કરી શકે છે.

માફી માંગ્યા પછી, કેરળમાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, એક ચૂંટાયેલા LDF કાઉન્સિલરે બંધારણનું રક્ષણ અને સમર્થન કરવા માટે શપથ લીધા પછી તરત જ 'જય હિંદ' કહેવા બદલ માફી માંગી હતી. આને સમજી લો, આ ભયની સંસ્કૃતિ છે, જે ડાબેરીઓ દ્વારા બનાવવામાં આવેલી છે. જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા, ધમકી અને જાહેરમાં અપમાન કરવામાં આવે છે. CPM અને તેના INDI ભાગીદાર, કોંગ્રેસ, અન્ય લોકોને 'સહિષ્ણુતા' પર ભાષણ આપે છે અને BJPને અસહિષ્ણુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Kerala-BJP2
thehawk.in

પરંતુ INDIની સહિષ્ણુતા નીતિ ત્યાં જ સમાપ્ત થાય છે, જ્યાં દેશભક્તિ શરૂ થાય છે. મારો તે કાઉન્સિલર અને દરેક મલયાલીને આ જ સંદેશ છે, આપણા દેશને પ્રેમ કરવા બદલ ક્યારેય માફી ન માગો, ભારત પર ગર્વ કરો. અહીં તમને જણાવી દઈએ કે, 'જય હિંદ' અને 'વંદે માતરમ' છેલ્લા કેટલાક અઠવાડિયાથી હેડલાઇન્સમાં છવાયેલું છે. ગયા અઠવાડિયે સમાપ્ત થયેલા શિયાળુ સત્રમાં સંસદમાં ગરમાગરમ ચર્ચા થઈ હતી, જેમાં BJPએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, જવાહરલાલ નેહરુએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેટલીક લાઈનો હટાવી લીધી હતી. ત્યાર પછી જ આના પર રાજકીય તોફાન શરૂ થયું છે.

About The Author

Related Posts

Top News

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.