ભાજપ સરકારના ઈરાદા ખબર છે, પરંતુ નિષ્ફળ જશેઃ ફારુક અબ્દુલ્લા

સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકનને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ અંગે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીનું નિવેદન આવ્યું છે. હવે આના પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ભાજપ સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, હું ભાજપ સરકારનો ઈરાદો જાણું છું. તેઓ ચૂંટણી પછી પણ J&K ને રાજ્યનો દરજ્જો આપવાના નથી. અન્યથા, તેઓ સીમાંકન નહીં કરતા. તેઓ તેને હિંદુ બહુમતી રાજ્ય બનાવવા માંગે છે, પરંતુ તેમનો એજન્ડા નિષ્ફળ જશે.

મહેબૂબા મુફ્તીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અને કલમ 370 પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તો પછી અમે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોના પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગ પર નિર્ણય કરશે. મહેબૂબાએ કહ્યું હતું કે, અમે શરૂઆતથી જ સીમાંકન પંચને ફગાવી રહ્યાં છીએ. અમને કોઈ પરવા નથી. નિર્ણય જે પણ હોય, અમે ક્યારેય ચર્ચાનો ભાગ નહોતા.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા મતવિસ્તારની પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગની રચના કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કાશ્મીરના બે રહેવાસીઓની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.