યુવકને કરિયાવરમાં મળ્યા 15 કરોડ, 210 વીઘા જમીન અને પેટ્રોલ પંપ; વીડિયો વાયરલ

આપણા સમાજમાં લગ્ન પ્રસંગે કરિયાવર આપવાની અને લેવાની પરંપરા ખૂબ જૂની છે. ભલે લોકો તેને ખોટું કહેતા હોય અને કાયદો પણ તેની વિરુદ્ધ હોય, પરંતુ હકીકત એ છે કે આજે પણ આ કૂપ્રથા મોટા પાયે જોવા મળે છે. બધા જાણે છે કે કરિયાવર કન્યાના પિતા અને તેના પરિવાર માટે ભારે બોજ બની જાય છે. તેમ છતા લોકો તેને છોડવા તૈયાર નથી થતા. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. આ વીડિયોમાં બતાવવામાં આવેલા કરિયાવરને જોઈને લોકો હેરાન છે અને સોશિયલ મીડિયા પર ભારે બહેસ છેડાઈ ગઈ છે. તો આજના સમાચારમાં અમે તમને આ વીડિયો બાબતે વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છીએ.

dowry2
x.com/Shizukahuji

વીડિયોમાં વરરાજાને એટલું બધું કરિયાવર આપવામાં આવ્યું હતું કે તે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. તેમાં આપવામાં આવેલો સામાન અને પૈસાની લિસ્ટ એટલી મોટી છે કે તેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ. ઘણા લોકો મજાકમાં કહી રહ્યા છે કે આ કરિયાવર બાદ, વરરાજાને જીવનભર કામ કરવાની જરૂર નથી. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલું મોટું કરિયાવર કોણ લે છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ માઈક લઈને બધા સામે વરરાજાને મળેલા કરિયાવરની માહિતી આપી રહ્યો છે. તેના મતે, લગ્નમાં વરરાજાને 210 વીઘા જમીન આપવામાં આવી છે. તેની સાથે જ એક પેટ્રોલ પંપ, 15 કરોડ 65 લાખ રૂપિયા રોકડા અને 3 કિલો ચાંદી પણ કરિયાવરમાં શામેલ છે. જ્યારે રોકડ રકમની જાહેરાત કરવામાં આવી, ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો જ નહીં, પરંતુ પાછળથી વીડિયો જોનારા યુઝર્સ પણ સ્તબ્ધ થઈ ગયા. આ બધું સાંભળીને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે.

dowry3
dnaindia.com

આ વીડિયોને X પર @Shizukahuji નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવા સુધીમાં હજારો લોકોએ તેને જોઈ ચૂક્યા હતા અને કોમેન્ટ સેક્શનમાં જાત-જાતની પ્રતિક્રિયાઓ આવી રહી હતી. એક યુઝરે ગુસ્સામાં લખ્યું કે, ‘શું તેની અંદર આત્મસન્માન અને સંસ્કાર નામની કોઈ વસ્તુ બચી છે કે નથી, જે આટલું મોટું કરિયાવર લઈ રહ્યો છે?’

dowry1
news18.com

અન્ય એક યુઝરે સવાલ ઉઠાવતા લખ્યું કે, ‘આટલું બધું આપવા અગાઉ છોકરીના પરિવારે એ પણ વિચારવું જોઈએ કે તેઓ તેમની પુત્રીના લગ્ન ક્યાં કરાવી રહ્યા છે. એજ જ રીતે અન્ય એક યુઝરે ટોણો મારતા કહ્યું કે, ‘જો આટલું મોટું કરિયાવર જોઈએ છે, તો પછી તમે ગરીબ પરિવારમાં લગ્ન કેમ કરી રહ્યા છો?’ આ વીડિયો ન માત્ર લોકોને ચોંકાવી રહ્યો છે, પરંતુ ફરી એક વખત સમાજમાં કરિયાવર પ્રથા પર ગંભીર સવાલ ઉભા કરી રહ્યો છે. જ્યારે લોકો ખુલ્લેઆમ આટલું મોટું કરિયાવરનો દેખાડો કરશે તો સમાજમાં ખોટો સંદેશ જશે અને કરિયાવર પ્રથા ખતમ થવાને બદલે તે વધુ મજબૂત થશે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.