CM કહે- બેંકોનો ભરોસો નહીં, જમીનમાં દાટીને રાખો પૈસા, BJPનો પ્રહાર

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન લોકોને બેંકોમાં પૈસા જમા ન કરાવવાની સલાહ આપીને ઘેરાઇ ગયા છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)એ રામબાગ જિલ્લામાં એક ચૂંટણી જનસભા દરમિયાન મુખ્યમંત્રીના નિવેદનને લઇને મોરચો ખોલ્યો હતો. ઝારખંડના ગોડ્ડા લોકસભા સીટ પરથી સાંસદ ડૉક્ટર નિશિકાંત દુબેએ મુખ્યમંત્રીના નિવેદનને મૂર્ખતાપૂર્ણ બતાવતા તેની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, દેશ આખી દુનિયામાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સન્માન મેળવી રહ્યો છે. પૈસા પણ સુરક્ષિત છે અને વિકાસ માટે લાગી રહ્યા છે.

તેમણે હેમંત સોરેનના એક-એક આરોપનો જવાબ આપતા એક પત્ર પણ ટ્વીટ કર્યો છે જેમાં મુખ્યમંત્રીના આરોપનો પણ ઉલ્લેખ છે. નિશિકાંત દુબેએ મુખ્યમંત્રી હેમંત સોરેન પર પ્રહાર કરતા કહ્યું કે, એક સંવૈધાનિક પદ પર રહેતા હેમંત સોરેન જનતાને આ પ્રકારના ખોટા પગલાં ઉઠાવવા માટે કહી રહ્યા છે. તે હેમંત સોરેનનો ડર દેખાડે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકારે ગરીબ, પછાત અને આદિવાસીઓની નાણાકીય સિસ્ટમમાં સમાવેશ કર્યો.

તેમના બેંક ખાતા ખોલાવીને તેમને સાહુકારોથી મુક્તિ અપાવી. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું કે, માત્ર ઝારખંડમાં જ 97 લાખ કરતા વધુ મુદ્રા લોન અને 1 કરોડ 62 લાખથી વધુ જન ધન યોજનાના લાભાર્થી છે. પહેલા મનરેગાના પૈસા કોન્ટ્રક્ટર અને સરકારી તંત્રના લોકો ખાઇ જતા હતા. હવે DBTથી પૈસા સીધા લાભાર્થીના ખાતામાં પહોંચી રહ્યા છે. હેમંતજી શું એવું ઇચ્છે છે કે જનતા ભ્રષ્ટાચારને ગળે લગાવી લે?

ભાજપના નેતા દીપક પ્રકાશે પણ મુખ્યમંત્રી હેમંત સોરેન પર પ્રહાર કર્યો છે. તેમણે પૈસા જમીનમાં ગાડીને રાખવાવાળા નિવેદનને અસંવૈધાનિક ગણાવતા કહ્યું કે, તે ગેરકાયદેસર અને ભ્રષ્ટાચારીઓ, કાળા ધનને પ્રોત્સાહન આપનારું છે. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેનને ટ્વીટ કરીને ઘેર્યા છે. તેમણે કહ્યું કે, પોતાના આ નિવેદનને લઇને જનતા પાસે તાત્કાલિક માફી માગે. મુખ્યમંત્રી હેમંત સોરેને એક દિવસ અગાઉ રામગઢ જિલ્લામાં પેટાચૂંટણીને લઇને એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઇ છે.

બેંકવાળા કાપી રહ્યા છે. અમે શરૂઆતથી જ એમ કહેતા આવ્યા છીએ કે તમે લોકો બેંકમાં પૈસા જમા ન કરો. તેને પ્લાસ્ટિકમાં ભરીને જમીનની અંદર ગાડીને રાખો, પરંતુ બેંકમાં પૈસા જમા ન કરો કેમ કે બેંકવાળો પૈસા લઇને ક્યારે ભાગી જશે, એ તમને ખબર પણ નહીં પડે. તમને કશું જ નહીં મળે. ઓછામાં ઓછા ઘરમાં રાખેલા પૈસા તો તમને મળશે.

ઉલ્લેખનીય છે કે, રામગઢમાં પેટાચૂંટણી થઇ રહી છે અને આજે ત્યાં મતદાન થવાનું છે. ચૂંટણીના છેલ્લા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી હેમંત સોરેન UPA ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યો અને બેંકોની હાલત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.