ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નોંધાયો કેસ, હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થાય ત્યાં સુધી...

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ ઉદયપુરમાં સમુદાયો વચ્ચે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાયો છે. ઉદયપુર પોલીસે તેને ધ્યાનમાં લેતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ શહેરના હાથીપોલ પોલીસ સ્ટેશનમાં કલમ 153-A હેઠળ ફરિયાદ નોંધી છે. ઉદયપુરમાં નવા વર્ષની રેલી બાદ આયોજિત ધર્મસભામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી રાજસમંદના કુંભલગઢનું નામ લઈને એક નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ કુંભલગઢ દુર્ગ પર કેટલાક યુવક હોબાળો કરવા પહોંચી ગયા હતા.

તેમાં પણ કેલવાડા પોલીસ સ્ટેશનની પોલીસે 5 યુવકોની ધરપકડ કરી છે. ઉદયપુર પોલીસ અધિક્ષક વિકાશ શર્માએ જણાવ્યું કે, બાગેશ્વર ધામ સરકારના રૂપમાં ચર્ચિત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરફથી આપવામાં આવેલા નિવેદનને લઈને પોલીસે કેસ નોંધી લીધો છે. તેમના નિવેદનમાં સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારનારા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુંભલગઢમાં કેટલાક યુવકોએ હોબાળો કર્યો હતો. ત્યાં કેલવાડા પોલીસે યુવકોને કસ્ટડીમાં લીધા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તપાસના આધાર પર આગળની કાર્યવાહી નિધારીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરુવારે ઉદયપુરમાં આયોજિત ધર્મસભામાં રાજસમંદના કુંભલગઢ દુર્ગને લીલાથી ભગવા રંગનો કરવાનું આહ્વાન કર્યું હતું. એ નિવેદન બાદ આગામી દિવસે સવારે કુંભલગઢ દુર્ગ પર ભગવો ધ્વજ ફરકાવવા માટે કેટલાક યુવક ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ત્યાં ભગવો ધ્વજ લહેરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમય રહેતા પોલીસ ત્યાં પહોંચી જતા યુવક એમ કરવામાં સફળ ન થઈ શક્યા, પોલીસે ત્યાંથી 5 યુવકોની ધરપકડ કરી.

હિન્દુ નવા વર્ષના ઉપલક્ષમાં ઉદયપુરમાં આયોજિત થયેલી ધર્મસભામાં સંતોએ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની પુરજોશથી માગણી ઉઠાવી હતી. ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં આયોજિત ધર્મસભામાં બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કથા વાંચક દેવકીનંદન ઠાકુર અને ઉત્તમ સ્વામી મહારાજે એક સવારમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થવા સુધી ચેનથી ન બેસવાનું આહ્વાન કર્યું. હતું. આ અવસર પર ગાંધી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી ગ્રાઉન્ડમાં જય શ્રીરામના નારા ગુંજતા રહ્યા.

દેવકીનંદન ઠાકુરે અહીં સુધી કહી દીધું કે જો હિન્દુ રાષ્ટ્રની વાત કરશે તે જ આગામી વખત સત્તાની ગાદી મેળવશે. તેની સાથે જ દેવકીનંદને વસ્તી નિયંત્રણ કાયદા સાથે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે બધાને એકજૂથ થવાની વાત કહી. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધર્મસભામાં ઉપસ્થિત લાખો લોકોને હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થવા સુધી ચેનથી ન બેસવાના શપથ લેવડાવ્યા. ધર્મસભા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાણા પ્રતાપ સાથે સાથે તેમના ઘોડા ચેતકને પણ યાદ કર્યો. ધર્મસભામાં કન્હૈયાલાલ હત્યાકાંડ પણ ગુંજતો રહ્યો. આ દરમિયાન બધા સંતોએ પોતાના સંબોધનમાં કન્હૈયાલાલનો ઉલ્લેખ કર્યો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.