સરકારી અધિકારીઓ 1.30 લાખનો મોબાઈલ પણ રાખી શકશે, નોટિફિકેશન જાહેર

કેન્દ્ર સરકારે નાયબ સચિવ અને તેનાથી ઉપરના તમામ સ્તરના અધિકારીઓ માટે એક ખુશખબરી જારી કરી છે. આ લેવલના અધિકારીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં  એક લાખ 30 હજાર રૂપિયા સુધીના મોબાઇલ, નેટ-બુક, લેપટોપ સહિતના અનેક ઇલેકટ્રોનિક્સ ગેજેટ્સ રાખી શકશે. નવી માર્ગદર્શિકાને કારણે  27 માર્ચ 2020ના રોજ જારી કરવામાં આવેલો આદેશ હટી જશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓ 1.3 લાખ રૂપિયા સુધીની કિંમતના મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખી શકશે. ચાર વર્ષ પછી, તે આ ગેજેટ્સનો વ્યક્તિગત રીતે પણ ઉપયોગ કરી શકશે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ લાયક અધિકારીઓ મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ, ફેબલેટ, નોટબુક, નોટપેડ, અલ્ટ્રા-બુક, નેટ-બુક અથવા આવા મૂલ્યના અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સત્તાવાર કાર્ય માટે લઇ શકે છે.

માર્ગદર્શિકા મુજબ, કેન્દ્ર સરકારના નાયબ સચિવ અને તેનાથી ઉપરના સ્તરના તમામ અધિકારીઓ આવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે પાત્ર હશે. વિભાગ અધિકારીઓ અને અન્ડર સેક્રેટરીઓના કિસ્સામાં, આવા ઉપકરણો અધિકારીઓને મંજૂર શક્તિના 50 ટકાની હદ સુધી જારી કરી શકાય છે. ઉપકરરણોની કિંમત અંગે, ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે તે એક લાખ રૂપિયા ઉપરાંત ટેક્સ હોય શકે છે.

જો કે, એનો ગેજેટ્સ જેમાં 40 ટકાથી વધુ મેક-ઈન-ઈન્ડિયા ઘટકોનો ઉપયોગ  થયો છે, એના કિસ્સામાં આ આ મર્યાદા રૂ. 1.30 લાખ ઉપરાંત ટેક્સ હશે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, જો કોઈ અધિકારીને મંત્રાલય/વિભાગમાંથી પહેલેથી જ ગેજેટ ફાળવવામાં આવ્યું હોય, તો તેને ચાર વર્ષ માટે નવું ઉપકરણ જારી કરી શકાતું નથી.

જો કે,  ઉપકરણ આર્થિક રીતે રીપેર યોગ્ય નહીં હોવા પર તે અપવાદ રહેશે. એમાં કહેવાયું છે કે, અધિકારી ચાર વર્ષ પછી આ ઉપકરણને પોતાની પાસે રાખી શકે છે. ઓફિસ મેમોરેન્ડમાં જણાવાયું છે કે સંબંધિત મંત્રાલય/વિભાગ એ સુનિશ્ચિત કરશે કે ઉપકરણને કસ્ટડી માટે અધિકારીને સોંપતા પહેલા તેનો તમામ ડેટા સાફ કરી દેવામાં આવ્યો છે.

21મી જુલાઈ, 2023ની આ માર્ગદર્શિકા બાદ, 27મી માર્ચ, 2020ના રોજ જારી કરાયેલો આદેશ હટી જશે. જેમાં આવા સાધનોની કિંમત 80,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી અને વ્યક્તિગત ઉપયોગ માટે સાધનસામગ્રી જાળવી રાખવાની કોઈ જોગવાઈ ન હતી

About The Author

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.