અમિત શાહ સામે FIR થઈ, શાહે કહેલું- જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસના નેતાઓએ કર્ણાટકમાં અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ DK શિવકુમારે પણ અમિત શાહના ઉશ્કેરણીજનક નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. BJP-કોંગ્રેસની સાથે કર્ણાટકના તમામ પ્રાદેશિક પક્ષો જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં એકબીજાને હરાવવા માટે તમામ રણનીતિ અપનાવી રહ્યા છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ અમિત શાહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. કોંગ્રેસે શાહ પર ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, અમિત શાહ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા ઉપરાંત લોકોમાં દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો આરોપ પણ લાગ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, ડૉ. પરમેશ્વર અને DK શિવકુમાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી. અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ સાંપ્રદાયિક અધિકારો પર અસર કરશે. તેઓ આવું નિવેદન કેમ કરી રહ્યા છે?... અમે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.'

બેંગલુરુમાં કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, 'જો ભારતના ગૃહમંત્રી ધર્મો અને સમુદાયો વચ્ચે સંઘર્ષ પેદા કરી શકે તેવા ખોટા નિવેદનો આપશે તો કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કોણ કરશે. અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી છે.'

'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે' એવા અમિત શાહના નિવેદનને ટાંકીને કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે 'કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ'. જો કોઈ સામાન્ય માણસે આવું નિવેદન આપ્યું હોત તો તેની ધરપકડ કરવામાં આવી હોત. કેન્દ્રીય ગૃહમંત્રી એવું કહેવાય જ કેમ કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો કોમી રમખાણો થશે. તેઓ ગૃહમંત્રી છે, BJPના સ્ટાર પ્રચારક નથી.'

FIRની પુષ્ટિ કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, તેમની પાર્ટીએ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) , 171G (ચૂંટણીના સંબંધમાં ખોટું નિવેદન), 505(2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના ફેલાવવાનું અથવા તેને વધારવાના નિવેદનો) અને 123 (યુદ્ધ કરવા માટે ડિઝાઇનને સરળ બનાવવાના હેતુથી છુપાવવા) હેઠળ FIR નોંધાવવામાં આવી છે.'

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.