રાહુલ ગાંધીને એવી કંઈ નોટિસ મોકલી કે કોંગ્રેસે જજને હટાવવા કહી દીધું

લોકસભા ચૂંટણીમાં જાતિ ગણતરી પર આપવામાં આવેલા નિવેદને વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે મુશ્કેલી ઊભી કરી છે. બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલના નિવેદનને લઈને તેમને નોટિસ મોકલી આપી છે. આનાથી કોંગ્રેસ ગુસ્સે થઈ ગઈ અને તેણે ત્યાં સુધી કહ્યું કે, આવા જજોને તરત જ તેમના પદ પરથી બરતરફ કરી દેવા જોઈએ. તેઓએ ગરીબો અને અન્ય બાબતો છે તેના પર ચુકાદો આપવો જોઈએ. બરેલી કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને 7 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું છે.

બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાતિની વસ્તી ગણતરી પરના તેમના નિવેદન પર રાહુલ ગાંધીને નોટિસ મોકલવા પર, કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું, 'આ ન તો સમાચાર છે અને ન તો તેના પર કોઈ ચર્ચા થવી જોઈએ. આવા માનસિક રીતે બીમાર લોકોની પાસે આ પ્રકારની પિટિશન ફાઇલ કરવાનો સમય હોય છે. કોર્ટની આ કેવી દુર્દશા થઇ ચુકી છે? નીચલી અદાલતો સુપ્રીમ કોર્ટની વાત સાંભળી રહી નથી. કોઈ અર્થ ન હોય તેવી બાબતમાં પણ નોટિસ આપવી એ બકવાસ નોટિસ છે. આવા ન્યાયાધીશોને તાત્કાલિક બરતરફ કરી દેવા જોઈએ. એવું લાગે છે કે તેઓ અભણ લોકો છે. કાં તો તેઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ગરીબોના પડતર કેસો, તેના પર નિર્ણય લેવો જોઈએ.'

કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુમાં કહ્યું કે, 'રાહુલે જાતિ ગણતરી પર પ્રચાર કર્યો, આ જ તો અમારો મુદ્દો છે. આ તો સામાજિક ન્યાય છે, દરેકને ભાગીદારી આપવાની વાત છે. જેમની પાસે ખરીદશક્તિ નથી તેમના માટે યોજના બનાવો, તેનાથી દેશને પ્રગતિ કરવામાં મદદ મળશે. ભારતીય રાજકારણમાં અત્યારે આનાથી મોટો કોઈ મુદ્દો નથી.'

પોતાની અરજીમાં પંકજ પાઠકે કહ્યું છે કે, અમને લાગ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન જાતિ ગણતરી પર આપેલું નિવેદન દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવાના પ્રયાસ જેવું હતું. શરૂઆતમાં, MP-MLA કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને ફગાવી દેવામાં આવી હતી. જોકે, અરજદારે ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં અપીલ કરીને કેસ આગળ ધપાવ્યો હતો. પાઠકે કહ્યું, 'અમારી અપીલ ત્યાં સ્વીકારવામાં આવી હતી અને રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી હતી.'

અરજદારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી દેશમાં વિભાજન અને અશાંતિ ભડકાવવાની સંભાવના છે, જેના માટે ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગણી ચાલુ રાખી અને દાવો કર્યો કે, બંધારણ પર હુમલો થયો છે અને ભારતીય જનતા પાર્ટી, PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે BR આંબેડકરનું અપમાન કરીને એક ગંભીર ભૂલ કરી છે.

About The Author

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.