બંગાળમાં આટલી સીટનો પ્રસ્તાવ મળતા રોષે ભરાયેલા અધીર રંજન બોલ્યા-મમતાની ભીખ નથી..

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ચાલુ છે. સીટ શેરિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ કારણે અધીર રંજન ચૌધરી પણ રોષે ભરાયા છે. તેમની તરફથી બે ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે તેમને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં માત્ર 2 સીટો આપવા તૈયાર છે, તો દેશની સૌથી જૂની પાર્ટી પોતાના માટે 7 સીટો ઈચ્છે છે.

લાંબા સમયથી આ જ કારણે સીટ શેરિંગને લઈને કંઇ પણ ફાઇનલ થઈ શકતું નથી. INDIA ગઠબંધનની ચિંતાની વાત એ પણ છે કે તેનાથી મોડું થવાના કારણે બંને જ પાર્ટીઓ વચ્ચે તીખી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. અધીર રંજન ચૌધરી તો ઘણી વખત તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લઈ ચૂક્યા છે. હવે તેમણે કહી દીધું છે કે કોંગ્રેસને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. આ અગાઉ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ વખત અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મમતા બેનર્જીની અસલી નિયત સામે આવી ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 2 સીટો આપવામાં આવશે. એ સીટો પર તો પહેલા જ અમારા સાંસદ છે. અમને નવું શું આપવામાં આવી રહ્યું છે. જે 2 સીટો પણ હતી, ત્યાં મમતા અને ભાજપ બંનેને હરાવ્યા હતા. અમારા પર એવો શું ઉપકાર કરી રહ્યા છે. તેમના પર કોણ ભરોસો કરી શકે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મમતાને કોંગ્રેસની જરૂરિયાત છે. કોંગ્રેસ તો પોતાના દમ પર અને વધુ સીટો જીટી શકે છે. અમે દેખાડી દઇશું. અમને 2 સીટ પર મમતાની ભીખ નથી જોઈતી.

આમ મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે ખેચતાણ તો વડાપ્રધાનના ચહેરાને લઈને પણ ચાલી રહી છે. કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને આગળ કરી રહી હતી, પરંતુ મમતાએ INDIA ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જૂન ખરગેના નામને આગળ કરી દીધું. આ જ કારણે જમીન પર સ્થિતિ બદલાઈ ગઈ અને ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

About The Author

Related Posts

Top News

વરમાળા પહેરવાના સમયે દારૂ પીધેલા વરરાજાને જોઈને કન્યાએ એવું કર્યું કે... તેને જીવનભર યાદ રહેશે!

બાંદા જિલ્લાના પૈલાની તહસીલના ગૌરી કલા ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે દારૂના નશામાં ધૂત વરરાજાએ વરમાળા પહેરાવવાના સમારંભ દરમિયાન...
National 
વરમાળા પહેરવાના સમયે દારૂ પીધેલા વરરાજાને જોઈને કન્યાએ એવું કર્યું કે... તેને જીવનભર યાદ રહેશે!

ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?

ઇન્ડિગોના મોટા પાયે ફ્લાઇટ રદ કરવાના અને સતત ઓપરેશનલ નિષ્ફળતાઓ પછી, રાજકીય અને વહીવટી સ્તરે મામલો વધુને વધુ ગંભીર...
National 
ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?

કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

Kia પહેલાથી જ EV6, EV9 અને Siros જેવા મોડેલો સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. હવે, કંપની...
Tech and Auto 
કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.