બંગાળમાં આટલી સીટનો પ્રસ્તાવ મળતા રોષે ભરાયેલા અધીર રંજન બોલ્યા-મમતાની ભીખ નથી..

On

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ચાલુ છે. સીટ શેરિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ કારણે અધીર રંજન ચૌધરી પણ રોષે ભરાયા છે. તેમની તરફથી બે ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે તેમને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં માત્ર 2 સીટો આપવા તૈયાર છે, તો દેશની સૌથી જૂની પાર્ટી પોતાના માટે 7 સીટો ઈચ્છે છે.

લાંબા સમયથી આ જ કારણે સીટ શેરિંગને લઈને કંઇ પણ ફાઇનલ થઈ શકતું નથી. INDIA ગઠબંધનની ચિંતાની વાત એ પણ છે કે તેનાથી મોડું થવાના કારણે બંને જ પાર્ટીઓ વચ્ચે તીખી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. અધીર રંજન ચૌધરી તો ઘણી વખત તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લઈ ચૂક્યા છે. હવે તેમણે કહી દીધું છે કે કોંગ્રેસને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. આ અગાઉ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ વખત અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મમતા બેનર્જીની અસલી નિયત સામે આવી ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 2 સીટો આપવામાં આવશે. એ સીટો પર તો પહેલા જ અમારા સાંસદ છે. અમને નવું શું આપવામાં આવી રહ્યું છે. જે 2 સીટો પણ હતી, ત્યાં મમતા અને ભાજપ બંનેને હરાવ્યા હતા. અમારા પર એવો શું ઉપકાર કરી રહ્યા છે. તેમના પર કોણ ભરોસો કરી શકે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મમતાને કોંગ્રેસની જરૂરિયાત છે. કોંગ્રેસ તો પોતાના દમ પર અને વધુ સીટો જીટી શકે છે. અમે દેખાડી દઇશું. અમને 2 સીટ પર મમતાની ભીખ નથી જોઈતી.

આમ મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે ખેચતાણ તો વડાપ્રધાનના ચહેરાને લઈને પણ ચાલી રહી છે. કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને આગળ કરી રહી હતી, પરંતુ મમતાએ INDIA ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જૂન ખરગેના નામને આગળ કરી દીધું. આ જ કારણે જમીન પર સ્થિતિ બદલાઈ ગઈ અને ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.