બંગાળમાં આટલી સીટનો પ્રસ્તાવ મળતા રોષે ભરાયેલા અધીર રંજન બોલ્યા-મમતાની ભીખ નથી..

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ચાલુ છે. સીટ શેરિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ કારણે અધીર રંજન ચૌધરી પણ રોષે ભરાયા છે. તેમની તરફથી બે ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે તેમને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં માત્ર 2 સીટો આપવા તૈયાર છે, તો દેશની સૌથી જૂની પાર્ટી પોતાના માટે 7 સીટો ઈચ્છે છે.

લાંબા સમયથી આ જ કારણે સીટ શેરિંગને લઈને કંઇ પણ ફાઇનલ થઈ શકતું નથી. INDIA ગઠબંધનની ચિંતાની વાત એ પણ છે કે તેનાથી મોડું થવાના કારણે બંને જ પાર્ટીઓ વચ્ચે તીખી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. અધીર રંજન ચૌધરી તો ઘણી વખત તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લઈ ચૂક્યા છે. હવે તેમણે કહી દીધું છે કે કોંગ્રેસને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. આ અગાઉ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ વખત અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મમતા બેનર્જીની અસલી નિયત સામે આવી ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 2 સીટો આપવામાં આવશે. એ સીટો પર તો પહેલા જ અમારા સાંસદ છે. અમને નવું શું આપવામાં આવી રહ્યું છે. જે 2 સીટો પણ હતી, ત્યાં મમતા અને ભાજપ બંનેને હરાવ્યા હતા. અમારા પર એવો શું ઉપકાર કરી રહ્યા છે. તેમના પર કોણ ભરોસો કરી શકે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મમતાને કોંગ્રેસની જરૂરિયાત છે. કોંગ્રેસ તો પોતાના દમ પર અને વધુ સીટો જીટી શકે છે. અમે દેખાડી દઇશું. અમને 2 સીટ પર મમતાની ભીખ નથી જોઈતી.

આમ મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે ખેચતાણ તો વડાપ્રધાનના ચહેરાને લઈને પણ ચાલી રહી છે. કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને આગળ કરી રહી હતી, પરંતુ મમતાએ INDIA ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જૂન ખરગેના નામને આગળ કરી દીધું. આ જ કારણે જમીન પર સ્થિતિ બદલાઈ ગઈ અને ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.