કોંગ્રેસવાળા જેટલી દાઢી વધારવી હોય તેટલી વધારો, આઠવલેની કવિતા તમે પણ સાંભળો

કોરોના મહામારી વખતે કોરોના ગો, કોરોના ગો અને અનેક વખતે પોતાની કવિતાની શૈલી માટે જાણીતા રાજકીય નેતા રામદેવ આઠવલેએ બુધવારે રાજ્યસભામાં એક કવિતા કરી તો સંસદમાં હાસ્યનો છોળો ઉડી હતી. બુધવારે, સંસદમાં જાણે બધા શાયરીના મૂડમાં આવી ગયો હોય તેવું લાગ્યું હતું. કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગે, સ્પીકર જગદીપ ધનપાલે શાયરી કરી હતી તો જ્યારે પોતાનો બોલવાનો મોકો આવ્યો તો આઠવલે એ પણ શાયર કરી દીધી હતી.

રાજ્યસભામાં જબરદસ્ત ચર્ચા વચ્ચે બુધવારે રામદાસ આઠવલેને જ્યારે બોલવાની તક મળી ત્યારે સંસદમાં વાતાવરણ ખુશનમા બની ગયું હતું. જેવું આઠવલેનું નામ બોલાયુ કે સ્પીકર ધનખડે સ્મિત સાથે કહ્યું હતું કે આજે તો મેં પણ શેર-શાયરી કરી છે. આઠવલેએ પોતાના અંદાજમાં કવિતા વાંચી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે રાહુલ ગાંધીનું નામ નહોતું લીધું, પરંતુ તેમનું નિશાન સધી રાહુલ પર જ હતું. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાઢી વધારી છે.

આઠવલેએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ પોઇન્ટ ટુ પોઇન્ટ હતું. રાષ્ટ્રપતિએ દલિતો, ઓબીસી, આદિવાસીઓ, લઘુમતીઓ વિશે વાત કરી હતી. મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ પાર્ટીએ  તો બાબાસાહેબ આંબેડકરને બે વખત હરાવ્યા હતા. તેમને લોકસભામાં આવવાનો મોકો નહીં આપ્યો. એની પર શેમ શેમના નારા ગૂંજ્યા. પરંતુ બાબા સાહેબનો 125મો જન્મ દિવસ PM મોદીએ મનાવ્યો હતો. વી.પી. સિંહે બાબા સાહેબ આંબેડકરનો ફોટો સેન્ટ્રલ હોલમાં લગાવ્યો હતો. આટલું બોલીને આઠવલેએ કહ્યુ કે તમે મને હરાવ્યો એટલું હું અહીં આવી ગયો.

રામદેવ આઠવલેએ રાજ્યસભામા જે કવિતા વાંચી હતી તે હવે વાંચો.

राष्ट्रपति जी का अभिभाषण, मजबूत करेगा भारत नेशन
विरोध करना है कांग्रेस का फैशन, इसलिए मैं विरोध में कर रहा भाषण
कांग्रेस वालो, जितनी बढ़ानी है उतनी बढ़ाओ दाढ़ी
लेकिन मोदी जी की है बहुत ही मजबूत बॉडी
मोदीजी को मालूम है देश के तमाम लोगों की नाड़ी
फिर कांग्रेस की कैसे चलेगी उनके सामने गाड़ी
मोदी जी आदमी हैं खास, इसलिए उनके साथ है रामदास
मोदीजी को है विकास की है आस, इसलिए वो राजनीति में हो गए हैं पास

રામદેવ આઠવલેની કવિતા સાંભળીને સંસદમાં હાસ્યની છોળો ઉડી ગઇ હતી. એ પછી પણ આઠવલેએ પંકિત કહીને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે, રાષ્ટ્રપતિકા અભિભાષણ મોદી સરકાર કે વિકાસ કી ગંગા, કાહે કે લિએ લેતો હો ઉનકે સાથ પંગા. આઠવલેએ કહ્યું કે, હું વિપક્ષનો આભાર વ્યકત કરુ છું, કારણકે દંગા છોડીને તેમણે ચર્ચામાં ભાગ લીધો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.