સાડી પહેરી મોં ઢાંકી કોર્ટ પહોંચી અમીષા પટેલને આ કેસમાં 500 રૂપિયા દંડ કર્યો

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલને રાંચી સિવિલ કોર્ટમાં ચેક બાઉન્સ કેસમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે. અમીષા પર છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો છે.

અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામે અજય સિંહ સાથે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. અજય કુમાર સિંહ વતી કંપનીના મેનેજર ટિંકુ સિંહ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા.

પરંતુ અમિષા પટેલના વકીલ દ્વારા તેમની ઉલટ તપાસ કરવામાં આવી ન હતી. અમીષા પટેલના વકીલ ટાઈમ પિટિશન આપી રહ્યા હતા. આ કારણસર કોર્ટે દંડ ફટકાર્યો છે. સિવિલ કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીએન શુક્લાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમીષા પટેલ અગાઉ બે વખત કોર્ટમાં હાજર થઈ ચૂકી છે.

અમીષા પટેલના વકીલ જયપ્રકાશ કોર્ટ પાસે આગામી તારીખની માંગ કરી રહ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું કે તેમને પ્રમાણિત કોપીની જરૂર છે. એટલે સુનાવણી માટે આગામી તારીખ આપવામાં આવે.

બીજી તરફ કોર્ટમાં અજય સિંહ તરફથી સાક્ષી હાજર હતા. સાક્ષીની ઉલટ તપાસ માટે હવે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે.

અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામ પર અજય સિંહ સાથે 2.50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. અજય સિંહનું કહેવું છે કે બંને વચ્ચે જે કરાર થયો હતો. તે મુજબ જ્યારે ફિલ્મ જૂન 2018માં રીલિઝ ન થઇ તો અમીષા પાસેથી અજય એ પૈસા પાછા માંગ્યા હતા. ઘણા વિલંબ પછી, ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપવામાં આવ્યા હતા, જે બાઉન્સ થયા હતા. આ પછી અજય સિંહે રાંચી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર વર્ષ 2001માં રીલિઝ થઇ હતી. આ તે વખતની સુપર હિટ ફિલ્મ રહી હતી. ફિલ્મે તે વતે 250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હવે 23 વર્ષ પછી 'ગદર 2' 11 ઓગસ્ટે રીલિઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં સની અને ઉત્કર્ષ શર્મા બોર્ડર પર દોડતા જોવા મળે છે. સની દેઓલ  તારા સિંહની ભૂમિકામાં, અમીષા પટેલ સકીનાના રોલમાં જોવા મળશે અને ઉત્કર્ષ તેના પુત્ર જીતના રોલમાં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.