નવી મુશ્કેલીમાં સંજય રાઉત, આ કેસમાં કોર્ટે જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ

મુંબઇની એક કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરિટ સોમૈયાની પત્ની મેઘા સોમૈયાની માનહાનિની એક ફરિયાદની સુનાવણીમાં ભાગ ન લેવા માટે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત વિરુદ્ધ શુક્રવારે નોન-બેઇલેબલ વોરંટ જાહેર કર્યું છે. મેઘા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. શિવડી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફરિયાદકર્તાનું નિવેદન નોંધ્યા બાદ વોરંટ જાહેર કર્યું અને કેસની આગામી સુનાવણી માટે 24 જાન્યુઆરીની તારીખ આપી છે.

મેઘા સોમૈયાના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશ છતા સંજય રાઉત ઉપસ્થિત ન થયા. જુલાઇ 2022માં મઝગાંવમાં મેટ્રોપોલિયન કોર્ટે સંજય રાઉત વિરુદ્ધ બેઇલેબલ વોરંટ જાહેર કર્યું હતું. મેઘા સોમૈયાએ એવો દાવો કરતા કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો કે, સંજય રાઉતે નિરાધાર અને અપમાનજનક આરોપ લગાવ્યા છે કે તેણે અને તેના પતિએ મુંબઇ નજીક ભાયંદર વિસ્તારમાં સાર્વજનિક શૌચાલય નિર્માણ અને દેખરેખમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

સોમૈયાના વકીલોએ સંજય રાઉત વિરુદ્ધ નોન-બેઇલેબલ વોરંટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કરતા નોન-બેઇલેબલ વોરંટ જાહેર કરી દીધો છે. તો સંજય રાઉત તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, તેઓ એ જાણવા માગે છે કે શું સંજય રાઉત આજે જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે અને નોન-બેઇલેબલ વોરંટ રદ્દ કરાવશે. રિપોર્ટ મુજબ મેઘા સોમૈયા જ્યારે મેજિસ્ટ્રેટ સામે ઉપસ્થિત થઇ, એ દરમિયાન કિરિટ સોમૈયા પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, સંજય રાઉતે તેમના પર કરોડો રૂપિયાના શૌચાલય કૌભાંડનો ખોટો આરોપ લગાવીને બદનામ કર્યા છે. મેઘા મુંબઇમાં રુઇયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. તેમણે રાઉત વિરુદ્ધ કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાવ્યો છે.

શિવસેનાના સંસદ હાલમાં જ પાત્રા ચોલ કૌભાંડ કેસમાં જેલ જઇને બહાર આવ્યા હતા. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક્શન બાદ ઑગસ્ટ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાત્રા ચોલ કૌભાંડ કેસમાં હાલમાં જ મુક્ત થયા હતા શિવસેનાના સંસદ. તેમના પર ગોરેગાંવ સ્થિત ચોલના પુનર્વિકાસ કાર્યમાં આર્થિક અનિયમિતતાઓના આરોપ લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, તેમણે પ્રવીણ રાઉત નામના વચેટિયાની મદદથી રૂપિયા હાંસલ કર્યા હતા.

28 જૂન 2022માં સંજય રાઉતને આ અંગે પૂછપરછ માટે EDએ સમન્સ પાઠવ્યા હતા. 1 ઑગસ્ટના રોજ ધરપકડ થયા બાદ જ તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, ખાસ વાત છે કે આ જ જેલમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને પૂર્વ મંત્રી નવાબ મલિક પણ બંધ હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજ્યસભાના સાંસદની પત્ની વર્ષા રાઉતને પણ પૂછપરછ માટે બોલાવી હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.