શું વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ખેલાડી બાબર અને રિઝવાને મહાકાલના દર્શન કર્યા?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC વન-ડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત પહોંચી ગઈ છે.આ દરમિયાન હૈદરાબાદ એરપોર્ટ પર ચાહકોએ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેપાકિસ્તાની ક્રિક્રેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. વીડિયોમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મંદિરમાં હાથ જોડીને ઉભેલા જોવા મળે છે.

 ફેસબુક પર એક વાયરલ પોસ્ટમા કહેવામાંઆવ્યું છે કે વર્લ્ડકપ પહેલાં જ બાબર આઝમ અને મોહમંદ રિઝવાન ઉજ્જૈન મહાકાલના દર્શને પહોંચ્યા. એ ઉપરાંત ફેસબુક અનેક પેજ પર વાયરલ દાવો શેર કરવામાં આવ્યો છે.

એક મીડિયા હાઉસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર માટે ખણખોદ કરી તો ખબર પડી કે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં બાબર અને રિઝવાન દર્શન કરવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ભ્રામક છે, ખોટો છે.

મીડિયા હાઉસે લખ્યું છે કે તેમણે ગૂગલ પર કેટલાંક કીવર્ડ સર્ચ કર્યા તો કોઇ સત્તાવાર જાણકારી મળી નહોતી જે વાયરલ દાવાની પૃષ્ટિ કરતી હોય.

આ પછી ગૂગલ લેન્સ વડે વાયરલ વીડિયોની કીફ્રેમ સર્ચ કરવામાં આવી. જેમાં 23 જાન્યુઆરી, 2023 ના દિવસે એક મીડિયા વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો હતો. એ અહેવાલમાં વાયરલ થયેલી તસ્વીર જેવી જ તસ્વીર જોવા મળી હતી.તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને રિષભ પંત મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા. સમાચારમાં હાજર તસવીરમાં સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ મંદિરમાં હાથ જોડીને જોઈ શકાય છે.

એ પછી જ્યારે બંને તસ્વીરોની સરખામણી કરવામાં આવી તો અસલ તસ્વીરમાં સૂર્યકુમાર યાદવના હાથ પર એક ટેટુ છે, એ જ ટેટુ બાબર આઝમના હાથ પર પણ જોવા મળે છે, જે વાયરલ તસ્વીર હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઇઅ સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવની તસ્વીરને એડિટ કરી છે.

સૂર્યકુમાર યાદવ સહિત અનેક ભારતીય ખેલાડીઓ મહાકાલના દર્શને ગયા હતા એ સમાચાર અનેક મીડિયાએ પ્રસિદ્ધ કર્યા હતા.

મતલબ કે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને રીઝવાન મહાકાલના દર્શને ગયા હતા એ બિલકુલ ખોટી વાત છે.

આવા અનેક ભેજાબાજો લોકો હોય છે, જે આ રીતે ફોટોના એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય છે અને ખોટી માહિતી ફેલાવતા હોય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.