રાહુલ ગાંધીના કારણે 3 ડઝન લોકોએ છોડી કોંગ્રેસ: ગુલામ નબી આઝાદ

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DAP) નેતા ગુલામ નબી આઝાદે એક ન્યૂઝ ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ પાર્ટી છોડી. તેમણે જ નહીં 3 ડઝન લોકોએ રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ છોડી. બધાને ખબર છે કે માત્ર મેં જ નહીં, લગભગ 3 ડઝનની આસપાસ યંગ, ઓલ્ડ, તેમાં 90 ટકા યંગ જ છે. જેમણે કોંગ્રેસ છોડી છે. તેમના (રાહુલ ગાંધી)ના કારણે. રાહુલ ગાંધીની સંસદ સભ્યતા જવા અને તેમનું મકાન પાછું લેવામાં થયેલી કથિત ઉતાવળ પર તેમને સવાલ કરવામાં આવ્યો હતો.

આ સવાલ પર તેમણે કહ્યું કે, ઉતાવળ તો થઈ છે. તેમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધીજી દરેક વખત પોતે જ કંટ્રોવર્સી ઉત્પન્ન કરે છે દરેક જગ્યાએ. બહાર જાય તો કન્ટ્રોવર્સી, અહીં જાય તો કંટ્રોવર્સી, આ તેમની ભૂલ છે. એક જ એજન્ડા પર 9-9 વર્ષ રહે છે. ભારતમાં હજુ પણ મોટી સમસ્યા છે. તેમની બાબતે ચર્ચાઓ કરતા નથી. આ એક સાઇડ છે, પરંતુ બીજી સાઈડ છે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જલદી જલદી કરી, સંસદ સભ્યતા રદ્દ કરવા માટે, મકાન લેવા માટે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેની માટે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. મેં જો કંઈક બતાવ્યું છે તો એ ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. રાહુલ ગાંધી બાબતે અને બીજી જે છે, આખું આઇસબર્ગ ક્યારેય નહીં બતાવું. રાહુલ ગાંધી માટે નફરત કેમ છે તમને? આ સવાલ પર તેમણે કહ્યું કે, વાત નફરતની નથી. મેં હજાર વખત કહ્યું છે કે હું ઈચ્છું છું તેઓ સ્વસ્થ રહે, તેઓ રાજનીતિમાં સફળ રહે. તેમાં તો પસંદ કર્યા જ હતા અમે, હું પણ હતો નેતા પસંદ કરવા માટે, પરંતુ જો દુનિયા સાંભળશે કે તેમણે રાજીનામું કેમ આપ્યું તો દંગ રહી જશે.

જો કે, આઝાદે રાજીનામાની કહાની સંભળાવવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, કેટલીક વસ્તુ, કેટલાક કલ્ચર, કેટલીક રીત, કેટલીક વાતો અંદરની હોય છે તે ન કરવી જોઈએ, તે માણસનું કેરેક્ટર દર્શાવે છે. તેઓ એ જ બતાવશે જે તેમણે પુસ્તકમાં લખ્યું છે. જો પુસ્તકમાં લખ્યું છે અને પછી ન કહું તો ગુનેગાર છું. પુસ્તક સમજી વિચારીને લખી છે અને જે નથી કહેવું એ સમજી વિચારીને કહ્યું નથી. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આવાસ બચાવવા માટે તેમણે (આઝાદે) પલટી મારી છે?

તેના પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેમાં જેટલા પણ કોંગ્રેસની નેતા છે, તેમને બતાવો કે દેશ માટે મચ્છરે પણ તેમને ડંખ માર્યો નથી. મને એક બતાવો. આ ગુલામ નબી આઝાદ છે. એટલે તો આજે AICCમાં તેઓ છે જે કલર્કીથી આવ્યા છે જે OSDથી આવ્યા છે. કોંગ્રેસી ઓરિજિનલ કેમ મારી વિરુદ્ધ બોલતા નથી, જે 70-80ના દશકના છે. કેમ નથી બોલતા કેમ કે તેઓ મારા હિસ્ટ્રી જાણે છે. એ સિવાય પણ ગુલામ નબી આઝાદે પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી વાતો કહી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.