રાહુલે જીત બાદ કહ્યું- દરેક રાજ્યમાં નફરતની દુકાનો બંધ થશે, પહેલી કેબિનેટમાં...

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી જોરદાર જીત તરફ આગળ વધી રહી છે. પાર્ટીના શાનદાર પ્રદર્શન પર સૌપ્રથમ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પ્રેમની ભાષા આ દેશને સારી લાગે છે.' દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રેમની દુકાન ખુલી ગઈ છે અને નફરતની દુકાન બંધ થઇ છે. આ દરમિયાન તેમણે તેમની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું, 'હું કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, કર્ણાટકમાં કામ કરનારા તમામ નેતાઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું. કર્ણાટકની ચૂંટણીમાં, એક તરફ ક્રોની મૂડીવાદીઓની શક્તિ હતી. બીજી તરફ ગરીબ લોકોની શક્તિ હતી અને શક્તિએ તાકાતને હરાવી દીધી છે. દરેક રાજ્યમાં આવું થશે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે ગરીબોના મુદ્દાઓ પર લડ્યા છીએ.' 

રાહુલે કહ્યું, 'મને સૌથી સારી વાત એ ગમ્યું કે અમે આ લડાઈ નફરતથી, ખોટા શબ્દોથી નથી લડી. અમે આ લડાઈ પ્રેમથી, ખુલ્લા દિલથી લડી અને કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશના લોકો પ્રેમને પસંદ કરે છે.' કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ ગઈ છે. પ્રેમની દુકાનો ખુલી ગઈ છે. આ બધાની જીત છે. સૌથી પહેલા આ કર્ણાટકની જનતાની જીત છે.' 

કર્ણાટકની જનતાને આપેલા વચનોનો ઉલ્લેખ કરતા પૂર્વ સાંસદે કહ્યું કે, 'અમે ચૂંટણીમાં કર્ણાટકની ગરીબ જનતાને પાંચ વચનો આપ્યા હતા. મેં મારા ભાષણમાં કહ્યું હતું, ખડગેજીએ તેમના ભાષણમાં કહ્યું હતું, તમામ નેતાઓએ તેમના ભાષણો આપ્યા. મેં કહ્યું હતું કે, અમારી પાસે પાંચ વચનો છે અને અમે આ વચનોને પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટ બેઠકમાં પૂર્ણ કરીશું. હું ફરીથી કર્ણાટકના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું.' 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે શનિવારે જાહેર થયેલી મત ગણતરીમાં કોંગ્રેસ 136 બેઠકોની લીડ સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) 64 બેઠકો પર આગળ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બહાર પડાયેલા તાજેતરના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. 

ચૂંટણી પંચની વેબસાઈટ પર બપોરના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, કોંગ્રેસે 224 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 10 બેઠકો જીતી છે, જ્યારે 126 બેઠકો પર લીડ જાળવી રાખી છે. જ્યારે, શાસક BJPએ 4 બેઠકો જીતી છે, જ્યારે 60 બેઠકો પર લીડ જાળવી રાખી છે. બીજી તરફ, જનતા દળ (સેક્યુલર) એક સીટ જીતી છે અને 19 સીટો પર આગળ છે, જ્યારે અન્ય ચાર સીટો પર આગળ છે. 

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.