હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકોને દત્તક ન લે: BJP MP પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બેફામ નિવેદનો આપીને અનેક વખત પાર્ટીની મુશ્કેલીમાં મુકી દેનારા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યુ કે હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકો દત્તક ન લે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ અને હમેંશા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેને કારણે સનસનાટી ફેલાઇ ગઇ છે. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ દરમિયાન તેમણે હિંદુઓને દેશની સુરક્ષા પર ધ્યાન આપવાની વાત કરી. ઓછા સંતાનો પેદા કરવાની હિંદુઓની વિચારધારા સામે પણ સાધ્વી પ્રજ્ઞાએ આપત્તિ બતાવી.

પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યું કે, એક તો આપણે હિંદુઓ ઓછા સંતાનો પેદા કરીએ છીએ અને પાછા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઇને પોતાને માતા-પિતા કહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સાધ્વીએ કહ્યું કે હું આનો વિરોધ કરુ છું.આ ગતિવિધી દેશના હિતમાં નથી.

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રોહિંગ્યાઓ આપણા દેશમાં આવ્યા હતા અને તેમના સંતાનો જુદા જુદા રૂપમાં આવ્યા હતા. તે અનેક પ્રકારના વેશ બદલીને અહીં રહે છે અને અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ, ચોરી, ગુંડાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેમના બાળકો ક્યારેય દેશભક્ત ન હોય શકે.તેની ગેરંટી છે. એટલું જ નહી, પ્રજ્ઞા ઠાકુરે ગેરકાયદે રીતે ચાલી રહેલા અનેક સંગઠનો સામે પણ સવાલ ઉભો કરીને નિશાન સાધ્યું હતું. તેમણે મોઘલ શાસકોના મહિમા ગાતા લોકો સામે પણ આકરા પ્રહારો કર્યા હતો.

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જે લોકો ઔરંગઝેબનો મહિમા કરે છે અથવા જેઓ મોઘલ શાસકોનો મહિમા કરે છે તે દેશદ્રોહી છે, જેમણે આપણા દેશને ગુલામ બનાવીને આપણને ત્રાસ આપ્યો હતો તેઓ તેમની મહિમા કરે છે તેઓ દેશદ્રોહી છે. આવા લોકોને ખતમ કરવા જોઈએ અને તેમને રાજદ્રોહની સજા મળવી જોઈએ.

ભોપાલના સાસંદ પ્રજ્ઞા ઠાકુરે મદરેસા વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાધ્વીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચાલતા ગેરકાયદે મદરેસાઓના તાત્કાલિક બંધ કરી દેવા જોઇએ અને મદરેસાઓ દ્રારા ગેરકાયદે રીતે હડપી લેવામાં આવેલી જમીન પાછી લઇને વિકાસના કામોમાં લગાવવી જોઇએ.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.