જેના પર 50,000નું ઇનામ હતું તે IPS મણીલાલ પાટીદારને નોકરીમાંથી બરતરફ કરાયો

ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. UP કેડરના 2014 બેચના IPS ઓફિસર મણીલાલ પાટીદારને પોલીસ સેવામાંથી Dismiss કરી દેવાયા છે. Department of Personnel and Training (DOPT)એ ઉત્તર પ્રદેશ સરકારની દરખાસ્ત પર પાટીદારની IPS સેવા સમાપ્ત કરી દીધી છે.

IPS અધિકારી મણિલાલ પાટીદારને ભારતીય પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાટીદાર સામે કાર્યવાહી હાથ ધરી છે. આ પછી UP પોલીસમાં 2014 બેચના IPS અધિકારીઓની સિવિલ લિસ્ટમાંથી પાટીદારનું નામ હટાવી દેવામાં આવ્યું છે.  UPના મહોબામાં વેપારી ઈન્દ્રકાંત ત્રિપાઠીની હત્યાનો આરોપ હતો. છેલ્લાં 2 વર્ષથી ફરાર મણીલાલ પાટીદાર માટે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મહોબામાં ખાણકામના વેપારીના મોત બાદ મણિલાલ પાટીદાર ફરાર થઈ ગયો હતો. આ પછી, ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેણે સરેન્ડર કર્યુ હતુ.. લગભગ બે વર્ષથી ફરાર પાટીદારને બરતરફ કરવા ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રને ભલામણ કરી હતી.

8 સપ્ટેમ્બર, 2020 ના દિવસે, મહોબાના કરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારી ઈન્દ્રકાંત ત્રિપાઠીએ તત્કાલીન મહોબા SP મણિલાલ પાટીદાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં પાટીદારન વસૂલી માટે હેરાન કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. પોસ્ટ પછી વેપારી ઈન્દ્રકાંત પર ફાયરિંગ થયું હતું જેમાં તેમનું મોત થયું હતું.ઇન્દ્ર્કાંતના ભાઇ રવિકાંત ત્રિપાઠીએ કવરઇ પોલીસ સ્ટેશનાં મણીલાલ પાટીદાર સામે FIR નોંધાવી હતી.

એ પછી મણિલાલ પાટીદાર ફરાર થઇ ગયો હતો. પોલીસે મણીલાલને શોધવા માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે મણીલાલ પાટીદારની માહિતી આપનારને 50,000 રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.

મણીલાલ પાટીદારનો જન્મ 25 નવેમ્બર 1989માં રાજસ્થાનના ડુંગરપુરમાં થયો હતો. મણીલાલ ભણવામાં હોંશિયાર હતો અને તેણે વર્ષ 2013માં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને 188મો રેન્ક મેળવ્યો હતો. IPS મણીલાલે IPS બનતા પહેલાં ઇલેકટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં બી-ટેક કર્યું હતું. પરંતુ તેને એન્જિનિયરીંગમાં રસ નહોતો.

IPS બન્યા પછી મણીલાલ પાટાદારને  UP કેડર મળી હતી અને તેની પહેલી પોસ્ટિંગ લખનૌમાં થઇ હતી. એ પછી મણીલાલને મહોબા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી. મહોબા આવીને મણીલાલ ભ્રષ્ટાચારી બની હયો હતો. મણીલાલે વેપારી ઇન્દ્રકાંત પાસેથી  દર મહિને 6 લાખ રૂપિયાની માંગ કરેલી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.