'બે વર્ષ પહેલા જ કહ્યું હતું કે...',પંજાબના અમૃતસરમાં હંગામા પર કંગનાની FB પોસ્ટ

બોલિવૂડ ક્વીન કંગના રનૌત ઘણીવાર ગંભીર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. જ્યારે, હવે કંગના રનૌતે પંજાબની ઘટનાને લઈને ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ બિન-ખાલિસ્તાની શીખોને પણ મોટી સલાહ પણ આપી છે.

પંજાબમાં સ્થિતિ સતત બગડી રહી છે. પંજાબના અમૃતસરમાં ગુરુવારે અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી અજનલા પોલીસ સ્ટેશનને 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ કબજે કરી લીધું હતું. પંજાબની બેકાબૂ સ્થિતિએ દેશભરના લોકોના દિલ હચમચાવી દીધા છે. કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના દિલની વાત કરી છે.

પંજાબની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રાખતા કંગનાએ લખ્યું, 'પંજાબમાં જે પણ થઈ રહ્યું છે, મેં બે વર્ષ પહેલા જ આગાહી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. પંજાબમાં મારી કાર પર હુમલો થયો, પણ એ જ થયું ને જે મેં કહ્યું હતું? પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે બિન-ખાલિસ્તાની શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.'

બે વર્ષ પહેલા કંગના રનૌતે કિસાન બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની કહ્યા હતા. કંગનાની આ પોસ્ટને લઈને દરેક જગ્યાએ ઘણો વિવાદ થયો હતો. ત્યાં સુધી કે, તેની સામે અનેક શહેરોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી. આ સમગ્ર વિવાદ બાદ જ્યારે કંગના પંજાબ પહોંચી ત્યારે તેની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી.

આ ઘટના વિશે વાત કરતાં કંગના રનૌતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પંજાબમાં પ્રવેશતા જ તેની કારને ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ જ્યારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો ત્યારે કંગનાને બે વર્ષ પહેલા કહેલી વાત યાદ આવી ગઈ.

પંજાબના અજનાલામાં થયેલા હંગામા બાદ પંજાબ પોલીસ પર ખાલિસ્તાનના સમર્થકો પ્રત્યે નરમ વલણ અપનાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, પંજાબ DGPનું કહેવું છે કે, તથ્યોની ચકાસણી કર્યા બાદ પોલીસ તેના આધારે આગળની કાર્યવાહી કરશે. પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોને છોડશે નહીં.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.