જગદીપ ધનખડે માગ્યું પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન! રાજસ્થાન વિધાનસભામાં આપી અરજી

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજસ્થાન વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી દાખલ કરી છે. જગદીપ ધનખડ વર્ષ 1993 થી વર્ષ 1998 સુધી અજમેર જિલ્લાના કિશનગઢ વિધાનસભા મતવિસ્તારથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે. તેમણે તાજેતરમાં વિધાનસભા સચિવાલયમાં પેન્શન માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા સચિવાલયે તેમની અરજી પર મંજૂરી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો તેમની અરજી મંજૂર થાય છે, તો તેમને દર મહિને 42,000 રૂપિયા પેન્શન અને પૂર્વ ધારાસભ્યોને ઉપલબ્ધ અન્ય સુવિધાઓનો લાભ મળી શકે છે.

જગદીપ ધનખડની રાજનીતિક સફર લાંબી અને વૈવિધ્યસભર રહી છે. તેઓ 1989 થી 1991 સુધી ઝુંઝુનૂ લોકસભા મતવિસ્તારથી જનતા દળના સાંસદ રહ્યા અને ચંદ્રશેખર સરકારમાં સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ વર્ષ 1993માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર કિશનગઢથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે વર્ષ 2019 થી વર્ષ 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવાઓ આપી હતી. હવે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ, તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે અરજી કરી છે.

dhankhar1
kashmirobserver.net

રાજસ્થાન વિધાનસભા સચિવાલયે ધનખડની અરજીની તપાસ શરૂ કરી છે. રાજસ્થાન સરકારના નિયમો અનુસાર, પૂર્વ ધારાસભ્યોને તેમના કાર્યકાળના આધારે પેન્શન અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. ધનખડના મામલે તેમના વર્ષ 1993 થી વર્ષ 1998ના કાર્યકાળને ધ્યાનમાં રાખીને પેન્શન પાત્રતા નક્કી કરવામાં આવશે. મંજૂરી મળતા તેમને દર મહિને 42,000 રૂપિયા પેન્શન તેમજ ચિકિત્સા સુવિધાઓ, મુસાફરી ભથ્થું અને અન્ય લાભો મળી શકે છે.

dhankhar
kashmirobserver.net

રાજસ્થાનમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન ઉપરાંત ઘણી અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં પૂર્વ ધારાસભ્યો અને તેમના પરિવારોને મફત ચિકિત્સા સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારી કાર્યો અથવા વિધાનસભા સંબંધિત મુસાફરી માટે ભથ્થું આપવામાં આવે છે. તો, વિધાનસભા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા અને અન્ય પ્રશાસનિક સુવિધાઓ પણ આપવામાં આવે છે. ધનખડની અરજીએ રાજસ્થાનના રાજકારણમાં એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે. તેમના આ પગલાને તેમના લાંબા રાજકીય કરિયરના વધુ એક અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે. વિધાનસભા સચિવાલય જલદી જ તેમની અરજી પર અંતિમ નિર્ણય લઈ શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.