શહીદ જવાનની કહાની: પિતા કારગિલમાં થયા શહીદ, હવે પૂંછમાં દીકરાએ આપ્યું બલિદાન

જમ્મુ-કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સર્વોચ્ચ બલિદાન આપનારા 5 જવાનોમાંથી એક લાંસ નાયક કુલવંત સિંહ પણ હતા. તેમના મોતના સમાચાર સાંભળતા જ તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદનું પાર્થિવ શરીર ગામ પહોંચી ચૂક્યું છે. હજારોની ઉપસ્થિતિમાં પૂરા સૈન્ય સન્માન સાથે શહીદને અંતિમ વિદાઇ આપવામાં આવશે. કુલવંત સિંહ અગાઉ તેમના પિતાએ વર્ષ 1999માં કારગિલ યુદ્વમાં પોતાની કુરબાની આપી હતી. પિતાની જેમ જ દીકરો પણ વીરગતિ પામ્યો.

કારગિલની ટોચ પર પોતાના પિતાના સર્વોચ્ચ બલિદાન આપવાના 11 વર્ષ બાદ કુલવંત સિંહ વર્ષ 2010માં સેનામાં સામેલ થયા હતા. લાંસ નાયક કુલવંત સિંહના માતાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘ઘર છોડવા અગાઉ તેણે મને કહ્યું હતું કે, તે સારી રીતે આવી જશે અને મને ચિંતા ન કરવા કહ્યું હતું. કુલવંતની દોઢ વર્ષની દીકરી અને 3 મહિનાનો દીકરો છે, જે તેના જતા રહ્યા બાદ અનાથ થઈ ગયા છે. લાંસ નાયક કુલવંત સિંહનો પરિવાર પંજાબના મોગાના ચાડિક ગામમાં રહે છે.

ગામના સરપંચ ગુરચરણ સિંહે ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, કુલવંત સિંહ પરિવારનો એકમાત્ર કમાનાર હતો, એટલે સરકારે તેના પરિવારની દરેક સંભવિત મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. સરકારે આગળ આવવું જોઈએ અને તેમના પરિવારની મદદ કરવી જોઈએ.  સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ગુરુવારે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચેથી પસાર થઈ રહેલા સેનાના એક વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબારી કરી.

શંકાસ્પદ લશ્કરના આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડના સંભવિત ઉપયોગના કારણે વાહનમાં આગ લાગી ગઈ. સેનાએ કહ્યું કે, વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના 5 જવાનોની આ ઘટનામાં શહીદ થઈ ગયા. હુમલા બાદ સેનાએ લગભગ 6-7 આતંકવાદીઓના એક ગ્રુપની જાણકારી મેળવવા માટે શુક્રવારે મોટા પ્રમાણ પર અભિયાન ચલાવ્યું. 

આ અભિયાનમાં સેના, પેરામિલિટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસના લગભગ 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે, સેના અને સુરક્ષા એજન્સીઓને રાજૌરી-પૂંછ સેક્ટરમાં એ વિસ્તાર પાસે 2 ગ્રુપમાં સક્રિય 6-7 આતંકવાદીઓની ઉપસ્થિતિ બાબતે ઈનપુટ મળ્યા છે, જ્યાં કાલે ઘટના થઈ હતી. અભિયાનમાં મદદ કરવા માટે ડ્રોન અને દેખરેખ હેલિકોપ્ટરો સાથે ઘણી વિશેષ બળોની ટીમોને વિસ્તારમાં મોકલવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.