લાલુનું વિચિત્ર નિવેદન-પીએમએ તેમના આવાસમાં પત્ની વિના ન રહેવું જોઇએ !

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા લાલુ પ્રસાદ યાદવે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ સવાલના જવાબ આપતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, ‘જે પણ વડાપ્રધાન બને, તે પત્ની વિનાના ન હોવા જોઈએ. વડાપ્રધાને પત્ની વિના PM આવાસમાં ન રહેવું જોઈએ, એ ખોટું છે.” મહારાષ્ટ્રની રાજનીતિના ઉતાર-ચડાવ બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, રાજનીતિથી ક્યારેય કોઈ રિટાયર થયું નથી, શરદ પવારજી ખૂબ મજબૂત નેતા છે.

લાલુ પ્રસાદ યાદવે મહાગઠબંધનની સંભવિત સીટો બાબતએ કહ્યું કે, વર્ષ 2024માં તેને 300 કરતાં વધુ સીટો મળશે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના દાવેદાર અને રાહુલ ગાંધીને લગ્નની સલાહના સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, ‘વડાપ્રધાન જે પણ હોય, પત્ની વિના ન રહેવું જોઈએ. પ્રધાનમંત્રીના અવાસમાં પત્ની વિના રહેવું ખોટું છે. તેને સમાપ્ત કરવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોડી ભ્રષ્ટાચારીઓના કન્વીનર છે, જએને ભરાષ્ટ્ર કહેતા હતા તેમને મંત્રી બનાવ્યા છે.

વિપક્ષી એકતા બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 17 પાર્ટીઓના નેતા એકજૂથ થઇ રહ્યા છે. ભાજપના નેતા જે કહે છે, તેમને કહેવા દો. તેઓ જઈ રહ્યા છે, તેમનો સફાયો થશે. શરદ પવાર ખૂબ મજબૂત નેતા છે, પરંતુ આ બધુ તેમના ભત્રીજો અજીત પવાર કરી રહ્યા છે. તેમના કહેવાથી કોઈ રિટાયર નહીં થાય, રાજનીતિમાં કોઈ પણ રિટાયર થતું નથી. આ અગાઉ બુધવારે લાલુ પ્રસાદ યાદવે શરદ પવારને લઈને કહ્યું હતું કે, તેમની મહારાષ્ટ્રમાં હેસિયત છે. અજીત પવારની કોઈ અસર નથી. તેમના અલગ થવાથી કંઈ થતું નથી.

અજીત પવારે કાકાને તેમની ઉંમર યાદ અપાવતા કહ્યું હતું કે, હવે તમે 82 વર્ષના થઈ ગયા છો, અંતે ક્યાં જઈને રોકાશો? હું 5 વખત નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યો છું, હવે મુખ્યમંત્રી બનવું છે. મારો દીકરો પણ મજાક કરતા પૂછે છે કે, ‘પિતાજી તમે ક્યાં સુધી નાયબ મુખ્યમંત્રી બનતા રહેશો.’ ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ હાલના દિવસોમાં મેડિકલ ચેકઅપ માટે દિલ્હી ગયા છે. ગત દિવસોમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગમમાં લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, હવે તમે વાત માનો અને લગ્ન કરી લો. તમારા મમ્મી અમને કહે છે કે તમે વાત માનતા જ નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.