IPS વિકાસ વૈભવને જીવનું જોખમ! ગૃહ વિભાગને પત્ર લખીને ટ્રાન્સફરની માગણી કરી

ટ્વીટર પર DG શોભા ઓહટકર પર ફાયર અને હોમગાર્ડ સેવાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યા બાદ લાઈમલાઈટમાં આવેલા IG વિકાસ વૈભવ (IPS વિકાસ વૈભવ)ને હવે તેમના જીવ પર ખતરો છે. સોમવારે IG વિકાસ વૈભવે ગૃહ વિભાગને આ અંગે પત્ર લખીને બદલી માટે અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, મને ઘણા મહિનાઓથી પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું અને મારો પરિવાર માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ છીએ. મને બીજા વિભાગમાં મોકલી આપવામાં આવે. હાલના વિભાગમાં એક દિવસ પણ કામ કરવું જોખમથી મુક્ત નથી. ત્યાં અપ્રિય ઘટનાઓ પણ બની શકે છે. વિકાસ વૈભવે વિભાગ ન બદલવો હોય તો તેમને રજા આપવાની માંગણી કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, DG શોભા ઓહટકરે વિવાદિત ટ્વીટ કેસમાં IG વિકાસ વૈભવને નોટિસ આપી છે. 9 ફેબ્રુઆરીએ આપવામાં આવેલી નોટિસમાં તેમને 24 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તેઓ રજા પર હોવાથી તેમનો જવાબ મળી શક્યો ન હતો. IG વૈભવ એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે સિલીગુડી ગયા હતા. આવી સ્થિતિમાં IG સોમવારે સ્પષ્ટતાનો જવાબ આપે તેવી અપેક્ષા હતી.

જોકે, સોમવારે પૂર્વ મંજૂર રજા પરથી પરત આવતાં જ તેણે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો અને DG શોભા આહોટકરને પોતાને અને પરિવાર માટે ખતરો હોવાનું જણાવીને ફરી એકવાર બધાને મૂંઝવણમાં મૂક્યા હતા. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, તેમણે સપ્ટેમ્બર 2022માં DG શોભા અહોટકરના દુર્વ્યવહારની ફરિયાદ જ નથી કરી, પરંતુ તેની સાથે અન્ય ઘણા અધિકારીઓએ પણ DGથી તેમને બચાવવાની વિનંતી લઈને ગૃહ વિભાગના ચક્કર લગાવ્યા છે.

IG વિકાસ વૈભવે આ પત્રમાં લખ્યું છે કે, DG શોભા અહોટકરે બળજબરીથી સજા કરાવવાના ઈરાદાથી બિહારી અને તેની પત્નીના નામથી અપશબ્દો કહ્યા છે. તેઓ તેમની સાથે કામ કરવાને લીધે જોખમમાં મુકાઈ શકે એમ છે. વિકાસ વૈભવે લખ્યું કે, કાર્યસ્થળ પર મારી સાથે અપ્રિય ઘટનાઓ બની શકે છે, મને નુકસાન પહોંચાડી શકે છે. આવા ઉચ્ચ અધિકારીના હાથ નીચે ફરજ બજાવવી શક્ય અને સલામત નથી.

IPS વિકાસ વૈભવે જણાવ્યું હતું કે, નિર્દોષ પરિવારના સભ્યો સાથે મારી સલામતીને ધ્યાનમાં રાખીને, જો કોઈ કારણોસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો, મને ઉક્ત વરિષ્ઠ અધિકારીના નિયંત્રણથી મુક્ત કોઈપણ અન્ય પોસ્ટ પર કામચલાઉ ધોરણે પોસ્ટ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માટેની કૃપા કરવામાં આવે. જો કોઈ કારણોસર આ શક્ય ન હોય તો, 13 ફેબ્રુઆરી 2023ના રોજથી 60 દિવસની રજા આપી દો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.