શ્રીકૃષ્ણ અને હનુમાન દુનિયાના સફળ ડિપ્લોમેટ હતા, એસ. જયશંકરનું નિવેદન વાયરલ

વિદેશ મંત્રી એસ જયશંકર રાજકારણમાં પ્રવેશતા પહેલા સફળ રાજદ્વારી રહ્યા છે. તેમની વિદેશ નીતિને મજબુત માનવામાં આવે છે. એક ઈવેન્ટ દરમિયાન તેમણે દુનિયાના સૌથી મોટા ડિપ્લોમેટનું નામ જાહેર કર્યું છે. વિદેશ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે સાંભળીને લોકો આશ્ચર્યચકિત છે. વિદેશ નીતિ પર તેમણે રામાયણ અને મહાભારતને યાદ કર્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’ના મરાઠી ભાષાંતર ‘ભારત માર્ગ’ના વિમોચન પ્રસંગે પુણે ગયા છે. ત્યાં તેમણે જે કહ્યું એ સાંભળીને બધા ચોંકી ગયા છે. વિદેશ મંત્રીએ લોકોના સવાલોના જવાબ આપતા કઇંક એવું કહ્યું કે એ નિવેદન સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ ગયું છે. તેમણે જે કહ્યું તેના પર એક નવી ચર્ચા છેડાઇ શકે છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, સૌથી મોટા રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટ એક શ્રી કૃષ્ણ અને એક હનુમાન હતા. જો તમે તેને મુત્સદ્દીગીરીના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તેઓ કઇ સ્થિતિમાં હતા?તેમને શું મિશન આપવામાં આવ્યું હતું?અને કેવી રીતે એ મિશનને તેમણે હેન્ડલ કર્યા હતા.

એસ. જયશંકરે કહ્યું કે,  રામભક્ત હનુમાને તો પોતાની ઇન્ટેલિજન્સનો પરિચય આપીને પોતાના ટાર્ગેટથી પણ આગળ વધી ગયા હતા. રાવણની લંકામાં માતા સીતાને મળ્યા અને લંકાને પુરી રીતે સળગાવી નાંખી હતી. તેઓ મલ્ટીપર્પઝ ડિપ્લોમેટ હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, જરા વિચારો, આજની દુનિયા મલ્ટી પોલર એટલે કેબહુધ્રુવીય છે. તે સમયે કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલી રહ્યું હતું? જુદા જુદા રાજ્યો હતા, દરેકને કહેવામાં આવ્યું હતું કે તમે તેમની સાથે છો, તમે મારી સાથે છો. બલરામ જેવા જૂથ વગરના લોકો પણ તે સમયે હાજર હતા. અમે પણ કહીએ છીએ કે ગ્લોબલ દુનિયા છે, આ અવરોધો છે. અર્જુનની મૂંઝવણ શું હતી, તે અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે મારા સંબંધીઓ સામે હું કેવી રીતે લડીશ. ક્યારેક આપણે કહીએ છીએ કે પાકિસ્તાને આ કર્યું, તે કર્યું, ચાલો, અમે વ્યૂહાત્મક ધીરજ બતાવીએ છીએ. શાનદાર ડિપ્લોમસીનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન કૃષ્ણ છે.

વિપક્ષમાં એક એવો વર્ગ છે જે બિનસાંપ્રદાયિક નીતિમાં માને છે. તે ઈચ્છે છે કે બંધારણીય પદ પર બેઠેલા લોકોએ આવા નિવેદનો ન આપવા જોઈએ, જે કોઈ ખાસ ધર્મ સાથે સંબંધિત હોય. હનુમાન અને કૃષ્ણ હિન્દુ દેવતાઓ છે. હવે આ નિવેદન પર વિપક્ષ તરફથી હોબાળો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.