ચૂંટણી અગાઉ CM શિવરાજની મોટી જાહેરાત, MPમાં મળશે 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર

મધ્ય પ્રદેશમાં ખરગોનમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હવે માત્ર ઉજ્જ્વલા યોજનાવાળાઓને પણ હંમેશાં 450 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળશે. તેના માટે લિસ્ટ તૈયાર કરાવી રહ્યા છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા શનિવારે જિલ્લાના બડવાહ વિધાનસભાના સનાવદ પહોંચી હતી. તેમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ થયા હતા. અહી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, ખરગોનના સાંસદ ગજેન્દ્ર સિંહ પટેલ, ખંડવાના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલ, બડવાહના ધારાસભ્ય સચિન બિરલા સહિત અન્ય નેતાઓ પણ આ રથ પર સવાર થયા અને રોડ શૉ કર્યો. આ દરમિયાન મુખ્યમંત્રીનું ઠેર-ઠેર સ્વાગત થયું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રોડ શૉ દરમિયાન બંને તરફ ઊભી જનતાનું અભિવાદન કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા રોડ શૉ બાદ મુખ્યમંત્રીનું રથ કૃષિ ઉત્પાદન માર્કેટ પરિશ્રમ પહોંચ્યું. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે સભાને સંબોધિત કરી.

તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સામાન્ય જનતાને જાણકારી આપી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને મુખ્યમંત્રી કહ્યું કે 10 તારીખે બહેનોની જિંદગી બદલાવાનો દિવસ છે. કેબિનેટે નક્કી કર્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજના, PM આવાસ યોજનાથી વંચિત લોકોને લાભ આપવામાં આવશે. સાથે જ 60 ટકા માર્ક્સ લવાનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને લેપટોપ આપશે. દરેક શાળાના 3 બાળકોને સ્કૂટી પણ આપવામાં આવશે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કૉલેજ સિવાય અન્ય કોઈ પણ મોટી શિક્ષણ સંસ્થામાં ગરીબ ભાઈ-બહેનોના બાળકો એડમિશન લેશે તો તેની ફીસ મધ્ય પ્રદેશની ભાજપ સરકાર ભરશે. આ બાળકો કોઈ પણ જાતિ-ધર્મના હોય શકે છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર પ્રહાર કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગરીબ બહેનો સાથે જોડાયેલી એ બધી યોજનાઓ જે કમલનાથ સરકારે છીનવી હતી, એ પણ ચાલુ કરી દેવામાં આવી છે. તીર્થ યાત્રા બંધ થઈ ગઈ હતી. હવે અમે હવાઈ યાત્રા કરાવી રહ્યા છીએ.  અમે આયુષ્યમાં યોજનામાં પણ વિસ્તાર કર્યો છે, જે ગરીબ અને ખેડૂત છે એ બધાને જોડીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર વર્ષમાં ફ્રી કરાવવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજે પૂછ્યું કે, કમલનાથે વાયદો કર્યો હતો કે દેવા માફીનો, શું વાયદો પૂરો કર્યો? કોંગ્રેસે તો ગર્ભવતી મહિલાઓના ખાતામાં આવનારા 16 હજાર છીનવી લીધા. કન્યાદાનના 51 હજાર ન આપ્યા.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.