ઈન્ડિયા મહાગઠબંધને બિહાર માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, નામ આપ્યું 'બિહાર કા તેજસ્વી પ્રણ', 9 વચન આપ્યા

મહાગઠબંધને 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. તેનું નામ 'તેજસ્વી પ્રણ' રાખવામાં આવ્યું છે. કવર ફોટો પર તેજસ્વી યાદવનો જ ફોટો રાખવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળ પ્રકાશિત થયેલા આ દસ્તાવેજમાં, મહાગઠબંધન રોજગાર, સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાનું વચન આપે છે.

ગઠબંધને જણાવ્યું હતું કે, આ ફક્ત ચૂંટણી દસ્તાવેજ નથી, પરંતુ સમૃદ્ધ અને ન્યાયી બિહાર બનાવવાનો ઐતિહાસિક સંકલ્પ છે. ઘોષણાપત્રમાં CM નીતિશ કુમારની આગેવાની હેઠળની NDA સરકાર પર છેલ્લા બે દાયકામાં શાસનમાં નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને વધેલી બેરોજગારીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Mahagathbandhan-Manifesto.jpg-4

પરિવાર દીઠ એક નોકરી: ગઠબંધન સરકાર બનાવ્યાના 20 દિવસની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માટે એક કાયદો રજૂ કરવાનું વચન આપે છે. નોકરીઓ બનાવવાની પ્રક્રિયા 20 મહિનાની અંદર શરૂ થવાનું કહેવામાં આવ્યું છે.

મહિલાઓ માટે 'માઈ-બહીન માન યોજના': મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને રૂ. 2,500ની નાણાકીય સહાય મળશે. તેમને પાંચ વર્ષ સુધી વાર્ષિક કુલ રૂ. 30,000 મળશે. દીકરીઓ માટે 'BETI' યોજના અને માતાઓ માટે 'MAI' યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

કોન્ટ્રેક્ટ કામદારોને કાયમી કરવામાં આવશે: બધા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. જીવિકા દીદીઓને સરકારી કર્મચારીનો દરજ્જો અને રૂ. 30,000નો પગાર મળશે.

જૂની પેન્શન યોજના પરત: રાજ્યમાં OPS (જૂની પેન્શન યોજના) પુનઃસ્થાપિત કરવાનું વચન આપવામાં આવ્યું છે.

Mahagathbandhan-Manifesto.jpg-3

મફત વીજળી અને પેન્શન: દરેક પરિવારને 200 યુનિટ સુધી મફત વીજળી મળશે. વૃદ્ધો, વિધવાઓ અને અપંગો માટે અનુક્રમે રૂ. 1,500 અને રૂ. 3,000ના માસિક પેન્શનની જોગવાઈ રહેશે.

શિક્ષણ અને રોજગાર પર ભાર: દરેક સબડિવિઝનમાં મહિલા કોલેજ અને 136 બ્લોકમાં નવી ડિગ્રી કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ વચનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફોર્મ ફી નાબૂદ કરવાનો અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો સુધી મફત મુસાફરીનો પણ સમાવેશ થાય છે.

ખેડૂતો માટે MSP ગેરંટી: લઘુત્તમ ટેકાના ભાવે તમામ પાકની ખરીદીની ખાતરી આપવામાં આવશે, અને બજારોને ફરીથી સક્રિય કરવામાં આવશે.

Mahagathbandhan-Manifesto.jpg-2

આરોગ્ય સુરક્ષા: દરેક વ્યક્તિને રૂ. 25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવશે. જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજો સુપર-સ્પેશિયાલિટી સુવિધાઓથી સજ્જ હશે.

મનરેગા અને અનામત વિસ્તરણ: મનરેગા વેતન રૂ. 255 થી વધારીને રૂ. 300 કરવાની અને કાર્યકારી દિવસોની સંખ્યા 100થી વધારીને 200 કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, OBC અને SC/ST શ્રેણીઓ માટે અનામત ટકાવારી વધારવા અને તેને બંધારણની નવમી અનુસૂચિમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

શૂન્ય સહિષ્ણુતા નીતિ: ગુના અને ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ માટે નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Mahagathbandhan-Manifesto

લઘુમતી અને વકફ મિલકત સંરક્ષણ: વકફ સુધારા બિલ પર મુલતવી રાખવા અને મિલકતોના પારદર્શક સંચાલનનું વચન આપવામાં આવ્યું છે. બોધગયામાં બૌદ્ધ મંદિરોનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અહીં તમને બતાવી દઈએ કે, તેજસ્વી યાદવ મહાગઠબંધનના CMપદનો ચહેરો છે. મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ, પવન ખેડા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મુકેશ સાહની હાજર હતા.

મેનિફેસ્ટો દ્વારા, મહાગઠબંધને NDA સરકાર પર સીધો હુમલો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું કે, 20 વર્ષથી સુશાસનના નામે બિહારમાં ફક્ત અન્યાય, સ્થળાંતર અને બેરોજગારી જ જોવા મળી છે. હવે ન્યાયી અને નવા બિહારનું નિર્માણ કરવાનો સમય છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, 'મહાગઠબંધન એ સૌપ્રથમ પોતાના CMપદના ઉમેદવારની જાહેરાત કરી હતી. અમે અમારો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ બતાવે છે કે બિહાર પ્રત્યે કોણ ગંભીર છે. અમે પહેલા દિવસથી જ નક્કી કરી લીધું હતું કે, અમે બિહાર માટે શું કરીશું. આપણે બિહારને પાછું પાટા પર લાવવું પડશે. આજે ખૂબ જ શુભ દિવસ છે, કારણ કે બિહાર રાજ્ય આ 'પ્રતિજ્ઞા'ની રાહ જોઈ રહ્યું હતું.

આ પ્રસંગે, VIP વડા અને ગ્રાન્ડ એલાયન્સના DyCM ચહેરા મુકેશ સાહનીએ કહ્યું, '...આજે અમે નવા બિહાર માટે એક સંકલ્પ પત્ર રજૂ કર્યો છે. આગામી 30-35 વર્ષ સુધી, અમે બિહારના લોકોની સેવા કરવા માટે કામ કરીશું. અમે તેમની બધી આકાંક્ષાઓ પૂર્ણ કરીશું. અમે લોકોને આપેલા બધા વચનો પૂર્ણ કરીશું. રાજ્યના લોકો મહાગઠબંધનના સમર્થનમાં ઉભા છે, અને અમે બિહારમાં સરકાર બનાવી રહ્યા છીએ. જ્યારે બીજી તરફ, NDA પાસે કોઈ 'સંકલ્પ' નથી.'

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.