ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એવો આરોપ છે કે ખાલી ઘરમાં મંજૂરી વિના નમાઝ વાંચવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘરનો ઉપયોગ કથિત રીતે કામચલાઉ મદ્રેસા તરીકે પણ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

police station
thelallantop.com

આજતકના અહેવાલ મુજબ, આ ઘટના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહમ્મદગંજમાં બની છે. અહીં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક ખાલી ઘરનો ઉપયોગ કથિત રીતે મદ્રેસા તરીકે થઈ રહ્યો હતો અને સામૂહિક નમાઝ વાંચવામાં આવી રહી હતી. ગ્રામજનોએ આનો વિરોધ કર્યો અને પોલીસને જાણ કરી.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ખાલી ઘરની અંદર લોકો સામૂહિક નમાઝ વાંચતા જોવા મળે છે. પોલીસે આ વીડિયોને પણ તપાસના ભાગ બનાવ્યો છે. માહિતી મળતા જ બિશારતગંજ પોલીસ હરકતમાં આવી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આ દરમિયાન નમાઝ વાંચી રહેલા 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 3 અન્ય ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ખાલી ઘર હનીફ નામના એક વ્યક્તિનું છે અને તેનો શુક્રવારની નમાજ માટે અસ્થાયી રૂપે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે લેખિત મંજૂરી અથવા માન્ય દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે રજૂ કરવામાં ન આવ્યા.

namaz
ndtv.com

SP (દક્ષિણ) અંશિકા વર્માએ જણાવ્યું હતું કે, ‘મોહમ્મદગંજ ગામના રહેવાસીઓ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે સાવચેતીભર્યા પગલાં લીધા. મંજૂરી વિના કોઈપણ ધાર્મિક ગતિવિધિ અથવા સભાનું આયોજન કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. જો આવી ગતિવિધિઓ ફરીથી થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જનતાને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની અપીલ કરી હતી.  પોલીસે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા 12 વ્યક્તિઓ પર શાંતિ ભંગ કરવા સંબંધિત કલમો હેઠળ ચલણ કરવામાં આવ્યું અને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને જામીન આપી દીધા. અન્ય 3 ફરાર વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એવો આરોપ છે કે ખાલી ઘરમાં મંજૂરી વિના નમાઝ વાંચવામાં...
National 
ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાસના મુખ્ય સ્નાન પર્વ દરમિયાન સંગમ તટ પર થયેલા હંગામા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વહીવટીતંત્ર...
National 
શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. '...
World 
ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

શુક્રવારે BMCની ચૂંટણીમાં ભાજપે 89 અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી મતલબ કે ગઢબંધનને કુલ 118 બેઠકો મળી.BMC...
Politics 
પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.