50 કરોડ લઈ ધારાસભ્ય જજપાલે રાજીનામુ આપેલું, BJP નેતાનો કોર્ટમાં દાવો

મધ્ય પ્રદેશના અશોકનગરથી ભાજપા ધારાસભ્ય જજપાલ જસ્સી માટે તેમની જ પાર્ટીના નેતાએ તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટ ગ્વાલિયરની બેંચમાં બે વાર કાઉન્સિલર રહેલા રોશન સિંહ યાદવે પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રોશન સિંહે કહ્યું કે વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જીત્યા પછી ધારાસભ્ય જજપાલ જસ્સીએ 50 કરોડ રૂપિયા લઈ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

મધ્ય પ્રદેશ કોર્ટની ગ્વાલિયર બેંચમાં વિધાનસભા ચૂંટણીની અરજી પર સુનાવણી દરમિયાન જ્યારે MLA જજપાલ સિંહ જસ્સી તરફના સીનિયર એડવોકેટ વિનોદ કુમાર ભારદ્વાજે રોશન સિંહને ક્રોસ એક્ઝામિન કર્યું તો તેમણે જણાવ્યું કે જજપાલ જસ્સીએ 50 કરોડ રૂપિયા લઈ રાજીનામુ આપ્યું હતું.

ખાસ વાત એ રહી કે એડવોકેટે રોશન પાસેથી પૈસાના લેવડ-દેવડના સંબંધમાં કોઈ પ્રશ્ન પૂછ્યા નહોતા. ત્યાર પછી એડવોકેટના પૂછવા પર રોશન સિંહે એવું પણ કહ્યું કે 50 કરોડ રૂપિયા લેવાની વાત મારા સાંભળવામાં આવી હતી. ત્યાર બાદ રોશન સિંહે પોતાની વાતને સંભાળતા કહ્યું કે આ આખા કેસને લઇ મેં જજપાલ સામે કોઈ FIR દાખલ કરાવી નથી.

જાણ હોય તો મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર 4 મહિનાનો સમય રહ્યો છે. એવામાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સામે આપવામાં આવેલું નિવેદન વિરોધી પાર્ટી કોંગ્રેસ માટે મોટું હથિયાર બની શકે છે.

જજપાલ સિંહ પહેલા પણ વિવાદમાં રહ્યા છે

જણાવીએ કે મધ્ય પ્રદેશમાં જજપાલ સિંહને જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુટના ગણવામાં આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને જજપાલ જસ્સી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે સીટ પર તે ચૂંટણી લડ્યા તે અનુસૂચિત જાતિ માટે રિઝર્વ સીટ હતી. 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે પાર્ટી છોડનારાઓમાં જજપાલ સિંહ પણ સામેલ હતા. ત્યાર પછી પેટા ચૂંટણીમાં તેમણે જીત નોંધાવી હતી. તેમણે લડ્ડૂ રામને હરાવ્યા હતા. લડ્ડૂ રામે હાર્યા પછી જજપાલ સામે નકલી જાતિ પ્રમાણપત્ર લગાવવાનો દાવો દાખલ કર્યો છે. જેની સુનાવણી હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કમલનાથ વર્ષ 2020માં પોતાની સરકાર તૂટ્યા પછીથી આરોપ લગાવતા રહ્યા છે કે કોંગ્રેસ ધારાસભ્યોએ 50-50 કરોડ રૂપિયા લઈને પાર્ટી છોડી હતી અને ભાજપામાં સામેલ થયા.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.