Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
ખ્રિસ્તી ધર્મ પ્રચારક પાદરી બજિંદર સિંહને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. મોહાલીની કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
પાદરી બજિંદર સિંહની સામે 2018માં દુષ્કર્મનો કેસ થયો હતો જેમાં શુક્રવારે મોહાલીની કોર્ટો તેને દોષી જાહેર કર્યો હતો અને 1લી એપ્રિલ, મંગળવારે કોર્ટે બજિંદર સિંહની આજીવન કેદની સજા કરી છે.
પોતે જ બનાવેલા એક ચર્ચમાં એક સુંદર યુવતીને નોકરીએ રાખી હતી અને તેને વિદેશ લઇ જવાની લાલચ આપીને બજિંદર સિંહે પોતાના ઘરે લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. બજિંદરની સામે ફેબ્રુઆરી મહિનામાં યૌન શોષણનો અન્ય આરોપ પણ લાગ્યો હતો.
15 વર્ષ પહેલાં તે એક હત્યાના કેસમાં જેલમાં હતો ત્યારે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.