છત્તીસગઢ: દહેજમાં મળેલી મ્યૂઝિક સીસ્ટમ ઓન કરી તો બ્લાસ્ટ, વર અને મોટાભાઇનું મોત

છત્તીસગઢમાં એક યુવાનના હજુ 3 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. સોમવારે ઘરમાં દહેજમાં મળેલી મ્યૂઝિક સીસ્ટમને ચાલું કરવા ગયા તો એવો બ્લાસ્ટ થયો કે ઘરની છત ઉડી ગઇ હતી અને આ ઘટનાને કારણે વરરાજા અને તેના ભાઇનું મોત થયું છે. એક નાના બાળક સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

નક્સલ પ્રભાવિત રેંગાખાર જંગલ વિસ્તારના ચમારી ગામમાં સોમવારે સવારે લગ્નના ઘરમાં મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટ થતાં વરરાજા અને તેના મોટા ભાઈનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની ટાઈલ્સવાળી છત ઉડી ગઈ હતી. અકસ્માતમાં પરિવારના વધુ 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મ્યુઝિક સિસ્ટમ વર હેમેન્દ્ર મારાવીને દહેજ તરીકે આપવામાં આવી હતી. લગ્ન 1 એપ્રિલના રોજ થયા હતા. મ્યુઝિક સિસ્ટમને પાવર લાઇન સાથે જોડીને ચાલુ થતાં જ તેમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો.

જે રૂમમાં દહેજનો સામાન રાખવામાં આવ્યો હતો ત્યાં સોમવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક હેમેન્દ્ર, મોટા ભાઈ રાજકુમાર (30) અને પરિવારના સભ્યો અને મહેમાનો ત્યાં હાજર હતા. જેવી જ વરરાજાએ મ્યુઝિક સિસ્ટમને વીજળી સાથે કનેક્ટ કર્યું ત્યારે તેમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે વરરાજા હમેંદનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.જ્યારે તેનો મોટો ભાઈ અને અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગામના લોકોએ  પરિવારના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે મોકલ્યા હતા. ઘાયલ થયેલા લોકોની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને કર્વધાની જિલ્લા હોસ્પિટમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન હેમેન્દ્રના મોટાભાઇ રાજકુમારનું અવસાન થયું હતું.

ઘટના પછી ગામમાં પહોંચેલી ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે. એવી ચર્ચા છે કે બ્લાસ્ટ બાદ બારૂદ જેવી દુર્ગંધ પણ આવી રહી હતી. ફોરેન્સિક ટીમ અનેક એંગલથી તપાસ કરી રહી છે. આમાં મુખ્ય વાત એ છે કે શું મ્યુઝિક સિસ્ટમમાં આટલો જબરદસ્ત ધડાકો થઈ શકે? જે વિસ્તારમાં આ ઘટના બની તે વિસ્તાર નક્સલી મૂવમેન્ટ વાળો છે એ દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. તે પણ એક તપાસનો મુદ્દો છે.

કબીરધામના અધિક પોલીસ અધિક્ષક મનીષા ઠાકુરે જણાવ્યું કે સોમવારે વરરાજા અને પરિવારના અન્ય સભ્યો ઘરે લગ્નની ભેટ ખોલી રહ્યા હતા. વીજળી બોર્ડ સાથે જોડાયા બાદ મ્યુઝિક સિસ્ટમ ચાલુ થતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં હેમેન્દ્ર મારાવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.