કોંગ્રેસમાં સામેલ થયા ભાજપના વરિષ્ઠ નેતા, જાણો BJPને કેટલું નુકસાન થશે

છત્તીસગઢમાં આ વર્ષ થનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર સાઇએ સત્તા વાપસીનો પ્રયાસોમાં લાગેલ ભાજપને ઝટકો આપતા કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. નંદ કુમાર સાઇ 4 દશકથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. નંદ કુમાર સાઈને પોતે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસની સભ્યતા અપાવી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, જોડાયો હાથ સાથે હાથ, મળ્યો તમારો સાથ, ભરોસાનો સાથ યથાવત છે. આદિવાસી હિતની વાત. સ્વાગત અને અભિનંદન ડૉ. નંદ કુમાર સાઈ. જારી છે.’

આ અગાઉ નંદ કુમાર સાઈએ પોતાના રાજીનામામાં તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતા જ ખોટા આરોપ લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવા અને પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. રાજીનામામાં નંદ કુમાર સાઈએ કહ્યું કે, ‘હું ભાજપની પ્રાથમિક સભ્યતા અને બધા પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીએ મને જે પણ જવાબદારી આપી છે, મેં તેને પૂરી નિષ્ઠા સાથે નિભાવી. તેના માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. એક વીડિયોમાં વરિષ્ઠ નેતાએ આશા વ્યક્ત કરી કે ભાજપ સારી રીતે કામ કરે.

કોણ છે નંદ કુમાર?

છત્તીસગઢના રાજકારણનો મોટો આદિવાસી ચહેરો કહેવાતા નંદ કુમાર સાઇ 3 વખતના ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહ્યા છે. નંદ કુમાર સાઈ વર્ષ 1977માં પહેલી વખત અવિભાજિત મધ્ય પ્રદેશની વિધાનસભા માટે ચૂંટાયા હતા.

તેઓ મધ્ય પ્રદેશના વિભાજન, છત્તીસગઢ, રાજ્યની રચના અગાઉ 3 વખત ધારાસભ્ય રહ્યા. અવિભાજિત મધ્ય પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નંદ કુમાર સાઈ 3 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભા માટે પણ ચૂંટાઈ ચૂક્યા છે. છત્તીસગઢ રાજ્યની રચના બાદ હવે અજીત જોગી મુખ્યમંત્રી બન્યા. ભાજપે નંદ કુમારને વિધાનસભામાં વિપક્ષ નેતાની જવાબદારી આપી હતી.

ભાજપ માટે કેટલું નુકસાન?

રાજ્ય બન્યા બાદ છત્તીસગઢના અજીત જોગીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારબાદ અહી ભાજપને ઊભી કરવામાં નંદ કુમાર રાયે મહત્ત્વની ભૂમિકા ભજવી અને સંગઠનને મજબૂત કર્યું. સરગુજા ક્ષેત્રથી આવનાર સાઈ આદિવાસીઓના મોટા નેતા માનવામાં આવે છે.

દીલિપ સિંહ જૂદેવ બાદ નંદ કુમાર સાઈ સરગુજા વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે. સરગુજા ક્ષેત્રમાં લગભગ 14 વિધાનસભા સીટ છે અને ભાજપ પાસે પણ એક પણ સીટ નથી. હવે જ્યારે સાઈ કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે તો ભાજપ માટે અહીં મુશ્કેલીઓ જ વધારે વધતી નજરે પડી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.