ન્યાયતંત્ર પર કોઈ દબાણ નથી, ચૂંટણી પંચનો નિર્ણય આનો પુરાવો છે: CJI DY ચંદ્રચુડ

મીડિયા દ્વારા આયોજિત એક કોન્ક્લેવમાં પહોંચેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ DY ચંદ્રચુડે ન્યાયતંત્રને લગતા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. કોર્ટમાં પેન્ડિંગ કેસોનો ઉલ્લેખ કરતા જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, અમારી પાસે કેસોનો ઘણો બૅકલોગ છે અને તે લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ પણ દર્શાવે છે. જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, જિલ્લા ન્યાયતંત્રમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, જેમાં સુધારાની જરૂર છે.

CJIએ કહ્યું, 'જજ તરીકે મારી 23 વર્ષની કારકિર્દીમાં મને કોઈએ કહ્યું નથી કે, કેસનો નિર્ણય કેવી રીતે લેવો.' કાયદા મંત્રી કિરેન રિજિજુ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું કાયદા મંત્રી સાથેના મુદ્દાઓમાં પડવા માંગતો નથી, અમારી ધારણાઓમાં ઘણો તફાવત છે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી ન્યાયતંત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. CJIએ કહ્યું કે, ચૂંટણી પંચ (EC)નો નિર્ણય એ વાતનો પુરાવો છે કે ન્યાયતંત્ર પર કોઈ પ્રકારનું દબાણ નથી.

તેમણે કહ્યું, 'આપણે ભારતીય ન્યાયતંત્રને વધારે આધુનિક બનાવવાની જરૂર છે, અમારું મોડેલ અંગ્રેજો પાસેથી વારસામાં મળેલા સંસ્થાનવાદી મોડેલ પર આધારિત છે. ન્યાય એ માત્ર એક સાર્વભૌમ કાર્ય નથી. આગામી 50-75 વર્ષમાં આપણે ભારતીય ન્યાયતંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવું પડશે. અમે રોગચાળા દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર જે પ્રકારનું કામ કર્યું તે વિશ્વના કોઈપણ ભાગમાં અભૂતપૂર્વ છે.'

આધુનિક ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, ‘આપણે કોવિડ સિવાયની ટેક્નોલોજીને જોવાની જરૂર છે અને ભારતીય ન્યાયતંત્રને આધુનિક બનાવવાની જરૂર છે. અમે બંધારણીય બેંચના કેસોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છીએ. લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા નાગરિકો માટે કોર્ટ ખોલવી એ મારા મિશનનો એક ભાગ છે.'

CJI DY ચંદ્રચુડે કહ્યું કે, મારા માટે ન્યાય માત્ર સાર્વભૌમ કાર્ય નથી, પરંતુ તે એક આવશ્યક સેવા પણ છે, જે અમે અમારા નાગરિકોને પ્રદાન કરીએ છીએ. કોર્ટની કાર્યવાહી દરમિયાન અંગ્રેજીના ઉપયોગ પર CJI ચંદ્રચુડે કહ્યું, 'અમારે લોકો જે ભાષા સમજે છે તેના માધ્યમથી તેમના સુધી પહોંચવાની જરૂર છે.'

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.