ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયામાં ભારતનો પક્ષ રજૂ કર્યો. ભારત પરત ફર્યા પછી, ઓવૈસીએ તેમના અભિયાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે ભારતને આતંકવાદનો શિકાર સાબિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પહેલગામમાં લોકોનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કરવામાં આવ્યો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, ઓવૈસીએ કહ્યું, 'અમે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમે બહેરીનને કહ્યું કે પાકિસ્તાન શું કરી રહ્યું છે. તે ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવો છો. અમે કુવૈતને કહ્યું કે ભારત સાથે તમારા ઘણા જૂના સંબંધો છે.'

Asaduddin Owaisi
prabhatkhabar.com

AIMIMના વડાએ કહ્યું, 'અમે સાઉદી અરેબિયાને કહ્યું કે 2003માં રિયાધમાં થયેલા હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા. પછી 8 વર્ષ પહેલા હુતીઓએ મિસાઇલો ચલાવી હતી. આ બધા આતંકવાદી સંગઠનોની વિચારધારા એક જ છે, તેમની વચ્ચે કોઈ ફરક નથી. અમને આશા છે કે આનાથી સકારાત્મક અસર થશે.'

સીમા પાર, પાકિસ્તાની મૌલવીઓ ઓવૈસી વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. તેમણે આ મૌલવીઓ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, 'આ મૌલવીઓ જે મારા વિશે ગમે તેમ બકવાસ કરી રહ્યા છે, તેમના દેશમાં પોલિયોની સમસ્યા છે. 40 ટકા ગરીબી છે. 9 ટકા બેરોજગારી છે. 2 કરોડ 30 લાખ બાળકો શાળાએ જતા નથી. તેમને તેની ચિંતા નથી. પરંતુ તેઓ ઓવૈસી વિશે ચિંતિત છે. હું તેમને કહેવા માંગુ છું કે મારી ચિંતા ન કરો, મારા લગ્ન થઇ ગયા છે.'

Asaduddin Owaisi
english.mathrubhumi.com

અસદુદ્દીન ઓવૈસીએ બિલાવલ ભુટ્ટોને પણ આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે તેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકતા નથી. ઓવૈસીએ આગળ કહ્યું કે, તે હુમલામાં બિલાવલની માતા (બેનઝીર ભુટ્ટો) સહિત 130 લોકો માર્યા ગયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી. તેઓ તેમની માતાના હત્યારાઓને પકડી શક્યા નથી, પરંતુ ભારત વિશે વાત કરી રહ્યા છે.'

About The Author

Related Posts

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.