ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયામાં ભારતનો પક્ષ રજૂ કર્યો. ભારત પરત ફર્યા પછી, ઓવૈસીએ તેમના અભિયાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે ભારતને આતંકવાદનો શિકાર સાબિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પહેલગામમાં લોકોનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કરવામાં આવ્યો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, ઓવૈસીએ કહ્યું, 'અમે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમે બહેરીનને કહ્યું કે પાકિસ્તાન શું કરી રહ્યું છે. તે ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવો છો. અમે કુવૈતને કહ્યું કે ભારત સાથે તમારા ઘણા જૂના સંબંધો છે.'

Asaduddin Owaisi
prabhatkhabar.com

AIMIMના વડાએ કહ્યું, 'અમે સાઉદી અરેબિયાને કહ્યું કે 2003માં રિયાધમાં થયેલા હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા. પછી 8 વર્ષ પહેલા હુતીઓએ મિસાઇલો ચલાવી હતી. આ બધા આતંકવાદી સંગઠનોની વિચારધારા એક જ છે, તેમની વચ્ચે કોઈ ફરક નથી. અમને આશા છે કે આનાથી સકારાત્મક અસર થશે.'

સીમા પાર, પાકિસ્તાની મૌલવીઓ ઓવૈસી વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. તેમણે આ મૌલવીઓ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, 'આ મૌલવીઓ જે મારા વિશે ગમે તેમ બકવાસ કરી રહ્યા છે, તેમના દેશમાં પોલિયોની સમસ્યા છે. 40 ટકા ગરીબી છે. 9 ટકા બેરોજગારી છે. 2 કરોડ 30 લાખ બાળકો શાળાએ જતા નથી. તેમને તેની ચિંતા નથી. પરંતુ તેઓ ઓવૈસી વિશે ચિંતિત છે. હું તેમને કહેવા માંગુ છું કે મારી ચિંતા ન કરો, મારા લગ્ન થઇ ગયા છે.'

Asaduddin Owaisi
english.mathrubhumi.com

અસદુદ્દીન ઓવૈસીએ બિલાવલ ભુટ્ટોને પણ આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે તેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકતા નથી. ઓવૈસીએ આગળ કહ્યું કે, તે હુમલામાં બિલાવલની માતા (બેનઝીર ભુટ્ટો) સહિત 130 લોકો માર્યા ગયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી. તેઓ તેમની માતાના હત્યારાઓને પકડી શક્યા નથી, પરંતુ ભારત વિશે વાત કરી રહ્યા છે.'

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.