ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયામાં ભારતનો પક્ષ રજૂ કર્યો. ભારત પરત ફર્યા પછી, ઓવૈસીએ તેમના અભિયાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે ભારતને આતંકવાદનો શિકાર સાબિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પહેલગામમાં લોકોનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કરવામાં આવ્યો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, ઓવૈસીએ કહ્યું, 'અમે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમે બહેરીનને કહ્યું કે પાકિસ્તાન શું કરી રહ્યું છે. તે ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવો છો. અમે કુવૈતને કહ્યું કે ભારત સાથે તમારા ઘણા જૂના સંબંધો છે.'

Asaduddin Owaisi
prabhatkhabar.com

AIMIMના વડાએ કહ્યું, 'અમે સાઉદી અરેબિયાને કહ્યું કે 2003માં રિયાધમાં થયેલા હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા. પછી 8 વર્ષ પહેલા હુતીઓએ મિસાઇલો ચલાવી હતી. આ બધા આતંકવાદી સંગઠનોની વિચારધારા એક જ છે, તેમની વચ્ચે કોઈ ફરક નથી. અમને આશા છે કે આનાથી સકારાત્મક અસર થશે.'

સીમા પાર, પાકિસ્તાની મૌલવીઓ ઓવૈસી વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. તેમણે આ મૌલવીઓ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, 'આ મૌલવીઓ જે મારા વિશે ગમે તેમ બકવાસ કરી રહ્યા છે, તેમના દેશમાં પોલિયોની સમસ્યા છે. 40 ટકા ગરીબી છે. 9 ટકા બેરોજગારી છે. 2 કરોડ 30 લાખ બાળકો શાળાએ જતા નથી. તેમને તેની ચિંતા નથી. પરંતુ તેઓ ઓવૈસી વિશે ચિંતિત છે. હું તેમને કહેવા માંગુ છું કે મારી ચિંતા ન કરો, મારા લગ્ન થઇ ગયા છે.'

Asaduddin Owaisi
english.mathrubhumi.com

અસદુદ્દીન ઓવૈસીએ બિલાવલ ભુટ્ટોને પણ આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે તેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકતા નથી. ઓવૈસીએ આગળ કહ્યું કે, તે હુમલામાં બિલાવલની માતા (બેનઝીર ભુટ્ટો) સહિત 130 લોકો માર્યા ગયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી. તેઓ તેમની માતાના હત્યારાઓને પકડી શક્યા નથી, પરંતુ ભારત વિશે વાત કરી રહ્યા છે.'

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.