ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયામાં ભારતનો પક્ષ રજૂ કર્યો. ભારત પરત ફર્યા પછી, ઓવૈસીએ તેમના અભિયાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે ભારતને આતંકવાદનો શિકાર સાબિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પહેલગામમાં લોકોનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કરવામાં આવ્યો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, ઓવૈસીએ કહ્યું, 'અમે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમે બહેરીનને કહ્યું કે પાકિસ્તાન શું કરી રહ્યું છે. તે ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવો છો. અમે કુવૈતને કહ્યું કે ભારત સાથે તમારા ઘણા જૂના સંબંધો છે.'

Asaduddin Owaisi
prabhatkhabar.com

AIMIMના વડાએ કહ્યું, 'અમે સાઉદી અરેબિયાને કહ્યું કે 2003માં રિયાધમાં થયેલા હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા. પછી 8 વર્ષ પહેલા હુતીઓએ મિસાઇલો ચલાવી હતી. આ બધા આતંકવાદી સંગઠનોની વિચારધારા એક જ છે, તેમની વચ્ચે કોઈ ફરક નથી. અમને આશા છે કે આનાથી સકારાત્મક અસર થશે.'

સીમા પાર, પાકિસ્તાની મૌલવીઓ ઓવૈસી વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. તેમણે આ મૌલવીઓ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, 'આ મૌલવીઓ જે મારા વિશે ગમે તેમ બકવાસ કરી રહ્યા છે, તેમના દેશમાં પોલિયોની સમસ્યા છે. 40 ટકા ગરીબી છે. 9 ટકા બેરોજગારી છે. 2 કરોડ 30 લાખ બાળકો શાળાએ જતા નથી. તેમને તેની ચિંતા નથી. પરંતુ તેઓ ઓવૈસી વિશે ચિંતિત છે. હું તેમને કહેવા માંગુ છું કે મારી ચિંતા ન કરો, મારા લગ્ન થઇ ગયા છે.'

Asaduddin Owaisi
english.mathrubhumi.com

અસદુદ્દીન ઓવૈસીએ બિલાવલ ભુટ્ટોને પણ આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે તેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકતા નથી. ઓવૈસીએ આગળ કહ્યું કે, તે હુમલામાં બિલાવલની માતા (બેનઝીર ભુટ્ટો) સહિત 130 લોકો માર્યા ગયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી. તેઓ તેમની માતાના હત્યારાઓને પકડી શક્યા નથી, પરંતુ ભારત વિશે વાત કરી રહ્યા છે.'

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.