ઉદયનિધિનું માથું કલમ કરનારને મળશે 10 કરોડનું ઈનામ અયોધ્યાના સંતની જાહેરાત

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મના નાશ’વાળા નિવેદન પર વિવાદ વધતો જઈ રહ્યો છે. સોમવારે અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ તલવારની અણીએ ઉદયનિધિ સ્ટાલિનનું પોસ્ટર ફાડી સળગાવ્યું હતું. તેમણે પ્રતિકાત્મક રૂપે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કર્યું. સાથે જ જાહેરાત પણ કરી કે, જે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કરીને લાવશે, તેને ઈનામમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, લાખો વર્ષોથી સનાતન ધર્મ છે. આ ધર્મનો ન કોઈ આદિ છે, ન અંત. સનાતનને કોઈ મટાડી નહીં શકે. જો તેને કોઈએ મટાડવાનો પ્રયાસ કર્યો તો પોતાની જાતે જ મટી જશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિનના માથા પર 10 કરોડનું ઈનામ રાખ્યું છે, જે પણ તેનું માથું કલમ કરીને લાવશે. તેને આ ઈનામ આપવામાં આવશે. જો કોઈ તેનું માથું ન લાવી શક્યું તો હું તેનું માથું કલમ કરીશ. મેં તલવાર પકડી લીધી છે. હું પોતે તામિલનાડુ જવાનો છું અને તેનું માથું કલમ કરીશ.

ઉદયનિધિના સનાતન ધર્મ પર આપેલા નિવેદન પર હિન્દુવાદી નેતાઓએ રિકબગંજ હનુમાનગઢી નજીક વિરોધ પ્રદર્શન કર્યું. નેતાઓએ સ્ટાલિનની ધરપકડ કરવાની માગ પણ કરી છે. મહંત પરમહંસે કહ્યું કે, જો ઉદયનિધિ સ્ટાલિને કોઈ અન્ય ધર્મ બાબતે એવી વાત બોલી હોત તો તેનાઆ ચીથરા ઊડી જતા. તેઓ જાણે છે કે સનાતન ધર્મ માનવતાવાદી, અહિંસાવાદી છે, પરંતુ અમે રાક્ષસોનું વધ કરતા પાછળ હટતા નથી. ઉદયનિધિ રક્ષણ બની ચૂક્યા છે.

આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ઉદયનિધિના નિવેદન પર પ્રહાર કરી ચૂક્યા છે. રાજસ્થાનના સિકરમાં કથા દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાલે કોઈ કહી રહ્યું હતું કે સનાતન ધર્મનો નાશ કરી દેવો જોઈએ. એમ વિચારનારને હું કહું છું કે, ભારતમાં રહેવું હશે તો રામ નામ બોલવું પડશે. જે પણ વ્યક્તિ સનાતનનો વિરોધ કરશે, તેની ઠઠરી અને ગાંસડી બંને બાંધવાનું કામ તે કરશે. હું કોઈને ધમકી નહીં, પરંતુ ડિક્લેમર આપી રહ્યો છું. જો કોઈને ભગવાન પર શંકા છે તો તે મેદાનમાં આવી જાય. હું તેની બધી શંકા ક્લિયર કરી દઇશ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.