ઉદયનિધિનું માથું કલમ કરનારને મળશે 10 કરોડનું ઈનામ અયોધ્યાના સંતની જાહેરાત

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મના નાશ’વાળા નિવેદન પર વિવાદ વધતો જઈ રહ્યો છે. સોમવારે અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ તલવારની અણીએ ઉદયનિધિ સ્ટાલિનનું પોસ્ટર ફાડી સળગાવ્યું હતું. તેમણે પ્રતિકાત્મક રૂપે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કર્યું. સાથે જ જાહેરાત પણ કરી કે, જે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કરીને લાવશે, તેને ઈનામમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, લાખો વર્ષોથી સનાતન ધર્મ છે. આ ધર્મનો ન કોઈ આદિ છે, ન અંત. સનાતનને કોઈ મટાડી નહીં શકે. જો તેને કોઈએ મટાડવાનો પ્રયાસ કર્યો તો પોતાની જાતે જ મટી જશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિનના માથા પર 10 કરોડનું ઈનામ રાખ્યું છે, જે પણ તેનું માથું કલમ કરીને લાવશે. તેને આ ઈનામ આપવામાં આવશે. જો કોઈ તેનું માથું ન લાવી શક્યું તો હું તેનું માથું કલમ કરીશ. મેં તલવાર પકડી લીધી છે. હું પોતે તામિલનાડુ જવાનો છું અને તેનું માથું કલમ કરીશ.

ઉદયનિધિના સનાતન ધર્મ પર આપેલા નિવેદન પર હિન્દુવાદી નેતાઓએ રિકબગંજ હનુમાનગઢી નજીક વિરોધ પ્રદર્શન કર્યું. નેતાઓએ સ્ટાલિનની ધરપકડ કરવાની માગ પણ કરી છે. મહંત પરમહંસે કહ્યું કે, જો ઉદયનિધિ સ્ટાલિને કોઈ અન્ય ધર્મ બાબતે એવી વાત બોલી હોત તો તેનાઆ ચીથરા ઊડી જતા. તેઓ જાણે છે કે સનાતન ધર્મ માનવતાવાદી, અહિંસાવાદી છે, પરંતુ અમે રાક્ષસોનું વધ કરતા પાછળ હટતા નથી. ઉદયનિધિ રક્ષણ બની ચૂક્યા છે.

આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ઉદયનિધિના નિવેદન પર પ્રહાર કરી ચૂક્યા છે. રાજસ્થાનના સિકરમાં કથા દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાલે કોઈ કહી રહ્યું હતું કે સનાતન ધર્મનો નાશ કરી દેવો જોઈએ. એમ વિચારનારને હું કહું છું કે, ભારતમાં રહેવું હશે તો રામ નામ બોલવું પડશે. જે પણ વ્યક્તિ સનાતનનો વિરોધ કરશે, તેની ઠઠરી અને ગાંસડી બંને બાંધવાનું કામ તે કરશે. હું કોઈને ધમકી નહીં, પરંતુ ડિક્લેમર આપી રહ્યો છું. જો કોઈને ભગવાન પર શંકા છે તો તે મેદાનમાં આવી જાય. હું તેની બધી શંકા ક્લિયર કરી દઇશ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-05-2025 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ તમે આધ્યાત્મિકતાના કામમાં વિતાવશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.