આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો સૂતક કાળ અને સમય વિશેની તમામ માહિતી, આ રાશિમાં લાગશે ગ્રહણ

આજે, 2025નું છેલ્લું સૂર્યગ્રહણ, જે કન્યા રાશિમાં થવાનું છે, તે આંશિક હશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ ગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, 122 વર્ષમાં પહેલી વાર, 15 દિવસના સમયગાળામાં બે ગ્રહણ એકસાથે થશે. જ્યારે પિતૃ પક્ષની શરૂઆત (ચંદ્ર પખવાડિયા) ગ્રહણથી થઇ હતી, હવે તે સમાપ્ત પણ ગ્રહણ સાથે જ થશે. આ ગ્રહણ આજે રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને આવતીકાલે, 22 સપ્ટેમ્બર, સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. તો, ચાલો વિશ્વભરના તે સ્થળોની શોધ કરીએ જ્યાં આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દેખાશે અને તેના ઇતિહાસ સાથે તેનો શું સબંધ માનવામાં આવે છે.

Surya-Grahan-20252
hindi.news18.com

જ્યોતિષીઓના મતે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેના બદલે, તે ઓસ્ટ્રેલિયામાં સિડની અને હોબાર્ટ; ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ અને વેલિંગ્ટન; નોર્ફોક ટાપુ પર કિંગ્સ્ટન; ક્રાઇસ્ટચર્ચ; ફીજી અને આસપાસના ટાપુઓ પર દેખાશે.

સૂર્ય આપણા આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગ્રહણના કારણે ભારતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે. ગ્રહોની દ્રષ્ટિએ, ભારતમાં મંગળની મહાદશા શરૂ થઈ ગઈ છે. સૂર્યને અગ્નિ તત્વનો કારક માનવામાં આવે છે, તેથી અગ્નિ સંબંધિત અકસ્માતો થવાની શક્યતા રહેલી છે.

Surya-Grahan-20251
hindi.dynamitenews.com

જ્યોતિષીઓના મતે, આજે સર્વપિત્રી અમાવસ્યા સાથે સૂર્યગ્રહણ થાય છે. આ ઉપરાંત, સૂર્ય, ચંદ્ર અને બુધ કન્યા રાશિમાં એક સાથે રહેશે. સાથે જ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને શનિ 30 વર્ષ પછી એકબીજાની સામે આવશે, જેનાથી સમસપ્તક યોગ બનશે.

ગ્રહણ છે તો સાવચેતી પણ રાખવી જ જોઈએ. આ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવી જોઈએ. જો કે આમ પણ ભારતમાં સૂર્યગ્રહણ રાત્રે થવાનું છે, પરંતુ આ સમય દરમિયાન મંત્રોનો જાપ ફાયદાકારક રહેશે. જોકે, ગ્રહણ પછીના દિવસથી દેવી દુર્ગાના શુભ દિવસો, શારદીય નવરાત્રિ શરૂ થાય છે. નિષ્ણાતો કહે છે કે, નવરાત્રિ પૂજા સૂર્યગ્રહણની નકારાત્મક અસરોને દૂર કરવા માટે ઢાલ તરીકે કામ કરશે.

Surya-Grahan-2025
aajtak.in

જ્યોતિષી પ્રતીક ભટ્ટના મતે, વર્ષ 1903 રાજા એડવર્ડ સાતમા અને રાણી એલેક્ઝાન્ડ્રાના રાજ્યાભિષેકનું વર્ષ હતું. આ ઉપરાંત, આ વર્ષ બંગાળના ભાગલાની રચના અને મદ્રાસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું હતું. આ સાથે જ, આ વર્ષ ભારતમાં બ્રિટિશ રાજના મૂળિયાં મજબૂત થયાનું વર્ષ હતું.

જ્યારે ચંદ્ર, તેની ભ્રમણકક્ષા દરમિયાન, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, સૂર્ય પ્રકાશના અમુક ભાગને અથવા તમામ ભાગને અવરોધે છે, ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જો કે, 21 સપ્ટેમ્બરે થનારું સૂર્યગ્રહણ આંશિક હશે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.