BJP ધારાસભ્યની માગ- મસ્જિદો અને દરગાહોમાં મોરના પીંછા, ત્યાં પણ રેડ કરો

કર્ણાટક ભાજપા નેતા અને ધારાસભ્ય અરવિંદ બેલાડે ધાર્મિક ઉદ્દેશો માટે મોરના પીંછાનો ઉપયોગનો હવાલો આપતા બધી મસ્જિદો અને દરગાહો પર રેડ કરવાની માગ કરી છે. બેલાડની આ ટિપ્પણી વન વિભાગની નોટિસ અને ભાજપાના રાજ્યસભા સાંસદ અને અભિનેતા જગ્ગેશના ઘરની તપાસ પછી આવી છે. એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન જગ્ગેશને વાઘના પંજાવાળું પેન્ડેંટ પહેરલ જોયા પછી આ તપાસ કરવામાં આવી છે.

ભાજપા નેતા બેલાડે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પણ કટાક્ષ કર્યો. કારણ કે, તેમણે જગ્ગેશના ઘરે છાપેમારી કરવા માટે સ્પષ્ટીકરણ માગ્યું હતું, પણ મસ્જિદો અને દરગાહો પર નહીં. બેલાડે પૂછ્યું કે, વાઘના નખ ઐતિહાસિક રીતે સારા કંપન માટે વાપરવામાં આવે છે. હું સિદ્ધારમૈયાને પૂછવા માગું છું કે જો રાજ્યસભા સાંસદ જગ્ગેશ સામે ફરિયાદ દાખલ કરાવી શકાય છે તો તે દરગાહો અને મસ્જિદોમાં વપરાતા મોરના પીંછાને લઇ ચુપ શા માટે છે?

તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા ત્યાં જાય છે અને મોરના પીંછાથી આશીર્વાદ લે છે. શું તે નથી જોઇ શકતા કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ એક ગુનો છે અને કાયદા વિરોધી છે. ભાજપા ધારાસભ્યએ સિદ્ધારમૈયાને દરેક મસ્જિદ અને દરગાહો પર રેડ કરવા અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ કર્યો છે.

જણાવીએ કે, વાઘના પંજાને લઇ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કન્નડ બિગ બોસના પ્રતિસ્પર્ધી વર્થુર સંતોષને વાઘના પંજાનું લોકેટ રાખવાના આરોપમાં શોના સેટ પરથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. વાઘના નખ રાખવા કાયદાકીય ગુનો છે. તેનું વેચાણ કે ખરીદી પણ કાયદાકીય ગુનો છે.

વન વિભાગના અધિકારી 22 ઓક્ટોબરના રોજ શોના સેટ પર પહોંચ્યા અને વાઘના પંજાનાં લોકેટની તપાસ કરી. મૂલ્યાંકન કરવા પર એ તારણ નીકળ્યું કે વાઘના પંજા અસલી હતા અને વર્થુર સંતોષની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ બધાની વચ્ચે અભિનેતા અને ભાજપા સાંસદ જગ્ગેશે પોતાના ઘરે થયેલી રેડ પછી કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી વન અધિકારીઓની કાર્ય પદ્ધતિ પર સવાલ ઊભા કર્યા છે.

જો જાણ હોય તો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વાઘ, સિંહ, હરણ જેવા જંગલી પશુઓને મારવા અને તેમના પંજા, ચામડી, સીંગ કે નખ વગેરે વેચવા એક ગુનો છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.