ના કોઈ TTE, ના કોઈ ટિકિટ, આ ભારતીય ટ્રેનમાં 75 વર્ષથી લોકો કરે છે મફતમાં મુસાફરી

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનને સૌથી વધુ કિફાયતી માનવામાં આવે છે. તે તમારો સમય બચાવે છે અને ખૂબ આરામદાયક હોય છે. ટ્રેનમાં મુસાફરીનો ખર્ચ પણ ઓછો થાય છે. ભારતમાં આજે ટ્રેનોનું નેટવર્ક એટલું મોટું થઈ ગયું છે કે તે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક બની ગયું છે. તમે ઘણીવાર લોકોને ટિકિટ વગર મુસાફરી કરતા જોયા હશે. આવા લોકોને TT પકડીને તેમનું ચલાણ કાપે છે, પરંતુ આજે અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં મુસાફરી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ટિકિટની જરૂર પડતી નથી, આ ટ્રેન તમામ મુસાફરો માટે બિલકુલ ફ્રી છે. જો તમે વિચારી રહ્યા હોવ કે અમે કોઈ વિદેશી ટ્રેનનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ, તો એવું બિલકુલ નથી. આ ટ્રેન ફક્ત ભારતમાં જ ચાલે છે, જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે.

ભારતની આ ફ્રી ટ્રેન આજથી નહીં પણ લગભગ 75 વર્ષથી લોકોને મફતમાં મુસાફરી કરાવી રહી છે. આ ટ્રેન પંજાબ અને હિમાચલની સરહદ નજીકથી ચાલે છે અને ભાખરા-નાંગલ ટ્રેનના નામે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન ભાખરા અને નાંગલ વચ્ચે ચાલે છે. જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ભાખરા-નાંગલ ડેમ જોવા આવે છે, ત્યારે તેઓ આ ટ્રેનનો ઉપયોગ કરે છે. આ પ્રવાસીઓ પાસેથી આ ટ્રેન માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને ન તો તેના માટે કોઈ ટિકિટ લેવામાં આવે છે. આ ટ્રેનના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1948માં તેની શરૂઆત થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેનના કોચ લાકડાના બનાવવામાં આવ્યા છે, જ્યારે આ ટ્રેનની શરૂઆત થઈ ત્યારે તેમાં 10 કોચ હતા પરંતુ હવે તેમાં માત્ર 3 કોચ છે. તેમાં મુસાફરી કરતા લોકોની વાત કરીએ તો દરરોજ તેમાં લગભગ 800 લોકો મુસાફરી કરે છે.

આ ટ્રેનને દેશની વિરાસત અને પરંપરા તરીકે જોવામાં આવે છે. વર્ષ 2011માં નાણાકીય નુકસાનને ધ્યાનમાં રાખીને તેની ફ્રી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને આ ટ્રેનને લોકો માટે ફ્રી રાખવામાં આવી હતી.

Related Posts

Top News

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

અમદાવાદ રેલવે સ્ટેશન પર પકડાયો નકલી TTE, ઓછા ભણેલા-ગણેલા યાત્રીઓ પાસે આ રીતે વસૂલતો હતો પૈસા

ગુજરાતમાં નકલી અધિકારીઓના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક નકલી TTE પકડાયો છે....
Gujarat 
અમદાવાદ રેલવે સ્ટેશન પર પકડાયો નકલી TTE, ઓછા ભણેલા-ગણેલા યાત્રીઓ પાસે આ રીતે વસૂલતો હતો પૈસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.