કોણ છે મોદીજીનો જબરો ફેન રામપાલ કશ્યપ? વડાપ્રધાને પોતાના હાથે પહેરાવ્યા શૂઝ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણાના યમુનાનગરમાં એક વિશેષ મુલાકાત દરમિયાન કૈથલના રહેવાસી રામપાલ કશ્યપને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા. વડાપ્રધાને આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો, જેમાં તેમણે રામપાલ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. રામપાલ કશ્યપ, જે હરિયાણાના કૈથલનો રહેવાસી છે અને OBC સમુદાયમાંથી આવે છે. તેણે 14 વર્ષ અગાઉ એક સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બની જાય અને તેમને ન મળે ત્યાં સુધી તે શૂઝ નહીં પહેરે. તેનો આ સંકલ્પ સોમવારે પૂરો થયો, જ્યારે વડાપ્રધાન મોદીએ તેને શૂઝ પહેરાવ્યા.

રામપાલ કશ્યપ કૈથલના ખેતી ગુલામ અલી ગામનો રહેવાસી છે. તે મજૂરી કરે છે અને ખેતરોમાં દવાનો છંટકાવ કરવાનું પણ કામ કરે છે. રામપાલ કશ્યપે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની બહુમતથી સરકાર ન બની જાય અને ત્યારબાદ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન મળી લે, ત્યાં સુધી તે શૂઝ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે.

Rampal-Kashyap
indiatoday.in

 

રામપાલ કશ્યપે કહ્યું કે, લોકોએ તેની મજાક ઉડાવી કે એક ગરીબ મજૂરને આટલા મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન કેમ મળશે. પરંતુ જ્યારે આ સમાચાર વડાપ્રધાનના કાર્યાલય સુધી પહોંચ્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન સાથે તેને બોલાવ્યો અને તેનું સન્માન કર્યું. સોમવારે, યમુના નગરમાં કાર્યક્રમ દરમિયાન, રામપાલ કશ્યપને બોલાવ્યો અને વડાપ્રધાને 30 મિનિટ સુધી વાત કરી અને પોતાના હાથે સન્માન આપતા શૂઝ પહેરાવ્યા.

Rampal-Kashyap3
x.com/MumbaichaDon

 

તેમણે કહ્યું કે, 14 વર્ષનો વનવાસ પૂરો થયો અને હવે તેઓ ખુલ્લા પગે નહીં ફરે. આખા ગામમાં તેનું એક નામ થઈ ગયું છે. રામપાલ કશ્યપના 2 બાળકો છે અને તે મજૂરી કરીને સન્માન સાથે તેમનું પેટ ભરવાનું કામ કરે છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.