PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ-સરકારના કામકાજને ઘર-ઘર સુધી પહોંચાડે

બજેટ સત્ર અગાઉ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા મંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા મંત્રીઓને સલાહ આપી કે, કેન્દ્ર સરકારના કામ કાજ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું કે, સરકારની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે અને પોતાના મંત્રાલયના કામકાજનો પણ ખૂબ પ્રચાર કરાવમાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સલાહ આપી કે સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના મંત્રી પોતાના મંત્રાલયના કામકાજની જાણકારી લોકો સુધી પહોંચાડે. વડાપ્રધાને G20 કાર્યક્રમનો પણ જોરદાર પ્રચાર કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, G20ની અધ્યક્ષતા ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. આ વાતને લોકો સુધી પહોંચાડવામાં આવે. તેને લઇને નક્કી કાર્યક્રમોમાં આગળ વધીને ભાગ લે અને તેનો પ્રચાર પણ થવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશના સામાજિક, સાંસ્કૃતિક ઉપલબ્ધીઓનો પણ પ્રચાર કરવા કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, ગરીબ કલ્યાણ યોજનાઓની ઉપાલબ્ધીઓને લોકો સુધી સારી ઢંગે પહોંચાડવામાં આવવી જોઇએ. રિપોર્ટ્સ મુજબ, મંત્રી પરિષદની બેઠકમાં કેબિનેટ સેક્રેટરીએ વર્ષ 2014થી લઇને અત્યાર સુધી મોદી સરકારની યોજનાઓ અને બધા નિર્ણયોનું પ્રેઝન્ટેશન આપ્યું. સૂચના અને પ્રસરણ સચિવે સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે સરકારના કામકાજ અને નિર્ણયોનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવામાં આવે, તેના પર પ્રેઝન્ટેશન આપ્યું. DEPT સચિવે અત્યાર સુધીની બધી યોજનાઓની જાણકારી આપી. યોજનાઓ અને પરિયોજનાઓનું અપડેટ આપ્યું હતું કે, કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને પરિયોજના ક્યારે પૂરી થશે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને એમ પણ કહ્યું કે, તમારા બધાના કામકાજની જાણકારી મારી પાસે છે. તમે લોકોએ શું શું કામ કર્યા છે. મને બધી ખબર છે. હવે તમારા લોકો પાસે માત્ર એક વર્ષનો સમય રહી ગયો છે. વર્ષ બાદ લોકો તમારું આંકલન કરશે. મારું કામ તો અલગ છે, પરંતુ દરેક મંત્રાલયની પણ અમને જાણકારી આપવી પડશે. તો તમે પણ પોતાના કાયમનું આંકલન તેજ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂરા થવા પર મંત્રાલયને સારા કામકાજોનું આંકલન થવાની વાત કહી છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.