PM મોદીએ ઉર્જિત પટેલની સરખામણી પૈસાના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરેલી, ગર્ગનો દાવો

પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે તેમના પુસ્તક 'વી અલ્સો મેક પોલિસી'માં PM નરેન્દ્ર મોદી વિશે મોટા ખુલાસા કર્યા છે. સુભાષે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2018માં એક મીટિંગમાં PM મોદીએ પોતાનો ગુસ્સો ગુમાવીને તત્કાલિન RBI ગવર્નર ઉર્જિત પટેલને પૈસાના ઢગલા પર બેઠેલા સાપ કહ્યા હતા.

સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ અને તણાવ વચ્ચે અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા 14 સપ્ટેમ્બર, 2018ના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ તત્કાલિન RBI ગવર્નર ઉર્જિત પટેલ પર ખુબ જ ગુસ્સે થઇ ગયા હતા અને તેમની સરખામણી પૈસાના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરી હતી. ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે તેમના પુસ્તક 'વી અલ્સો મેક પોલિસી'માં આ દાવો કર્યો છે.

ભૂતપૂર્વ નાણા સચિવના પુસ્તકના કેટલાક અંશો એક ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં ગર્ગે તેમના પુસ્તક દ્વારા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2018ની શરૂઆતમાં, તત્કાલિન RBI ચીફ ઉર્જિત પટેલ પ્રત્યે PM નરેન્દ્ર મોદી સરકારની 'નિરાશા' વધી ગઈ હતી. આ સ્થિતિ એક મહિના પછી વધુ ભયંકર બની ગઈ, જ્યારે ઉર્જિત પટેલે સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારનું રાષ્ટ્રીયકૃત બેંકો પર એટલું દબાણ છે કે, ખાનગી ક્ષેત્રની બેંકોની તુલનામાં RBI પાસે જાહેર ક્ષેત્રની બેંકો પર પૂરતી નિયમનકારી સત્તા નથી.

આ સાથે સુભાષ ગર્ગે તેમના પુસ્તકમાં એમ પણ કહ્યું હતું કે, ઉર્જિત પટેલે કથિત રીતે કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને એમ કહીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે, તે ફક્ત RBI દ્વારા જ બહાર પાડવામાં આવે અને તે પણ ડિજિટલ મોડમાં. ત્યારપછી, તે જ વર્ષે જૂનમાં, પટેલે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના સરકારના નિર્ણયને કારણે ફુગાવાના દબાણમાં સંભવિત વધારાનો ઉલ્લેખ કરીને રેપો રેટ વધારીને 6.25 ટકા કર્યો હતો. ત્રણ મહિના પછી, RBI ગવર્નર પટેલે રેપો રેટ વધારીને 25 ટકા કર્યો. જેના કારણે સરકાર પર બેંકોમાં લાખો કરોડ રૂપિયાની વધારાની મૂડી નાખવાનું દબાણ વધ્યું.

હાર્પરકોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ઓક્ટોબરમાં રિલીઝ થવાનું છે. ગર્ગે તેમના પુસ્તકમાં લખ્યું છે કે પટેલ અને તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી અને મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા સહિત અન્ય સરકારી અધિકારીઓ સાથે લગભગ બે કલાક સુધી બેઠક કર્યા પછી પણ PM નરેન્દ્ર મોદી કોઈ ઉકેલ શોધી શક્યા ન હતા. તે મીટિંગમાં હાજર અન્ય લોકોમાં તત્કાલિન રેલ્વે મંત્રી પીયુષ ગોયલ, તત્કાલીન અધિક મુખ્ય સચિવ P.K. મિશ્રા, તત્કાલીન DFS સચિવ રાજીવ કુમાર, ગર્ગ અને RBIના બે ડેપ્યુટી ગવર્નર, વિરલ આચાર્ય અને N.S. વિશ્વનાથન સામેલ હતા.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.