PM મોદીએ ઈંગ્લેન્ડના PM ઋષિ સુનક સાથે ટેલિફોન પર આ મુદ્દે વાતચીત કરી

ભારત સરકારે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ UKના PM ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ ભારત-UK રોડમેપ 2030ના ભાગ રૂપે સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષની જરૂરિયાત પર સંમત થયા હતા.

PM મોદીએ UKમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને UK સરકાર દ્વારા ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. PM ઋષિ સુનકે જણાવ્યું કે UK ભારતીય હાઈ કમિશન પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે અને ભારતીય મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપે છે.

PM મોદીએ UKમાં આશ્રય મેળવનારા આર્થિક અપરાધીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આ ભાગેડુઓની પરત ફરવાની પ્રગતિની માંગ કરી હતી જેથી તેઓ ભારતીય ન્યાયિક પ્રણાલી સમક્ષ હાજર થઈ શકે.

PM મોદીએ સપ્ટેમ્બર 2023માં યોજાનારી જી20 સમિટ માટે PM સુનકને આમંત્રણ આપ્યું હતું. PM સુનકે ભારતની જી20 પ્રેસિડન્સી હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને ભારતની પહેલ અને તેમની સફળતા માટે UKના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

PMએ PM સુનક અને UKમાં ભારતીય સમુદાયને બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.