PMએ કહ્યું- 2023 શાનદાર હોય, રાહુલ બોલ્યા-દરેક શહેરમાં મોહબ્બતની દુકાન ખુલશે

આખા વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઇ રહી છે, વર્ષ 2022ને વિદાય આપીને 2023નું સ્વાગત કરવાની ખુશી અને નવા નર્ષના આગમનની શુભકામનાઓ સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તમારુ 2023 શાનદાર હોય, આ વર્ષ આશા, ખુશી અને ઘણી બધી સફળતાથી ભરેલું હોય. દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એવા આશિર્વાદ મળે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, વર્ષ 2023ની દરેકને હાર્દિક શુભેચ્છા. આ વર્ષ તમારા દરેક માટે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરી કે, તમને દરેકને નવા વર્ષની શુભેચ્છા. વિદેશોમાં રહેનારા દરેક સાથી નાગરિકો અને ભારતીયને શુભેચ્છા. વર્ષ 2023 આપણા જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્ય અને ઉપલબ્ધીઓ લઇને આવે. તો આવો દેશની એકતા, અખંડતા અને શમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લઇએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તમને દરેકને ઇસવી સન્ 2023ની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભુ શ્રી રામની કૃપાથી આ નૂતન વર્ષ તમારા દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, ઉત્સાહ અને આરોગ્યથી અભિસિંચિત કરે.

જ્યારે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આશા છે કે, 2023માં દરેક ગલી, દરેક ગામ, દરેક શહેરમાં ખુલશે મોહબ્બતની દુકાન. દરેકને નવા વર્ષની શુભેચ્છા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.