કવિ મુનવ્વર રાણાના ઘરે થઇ ચોરી, ચોરો 40 લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાના ઘરે ચોરી થયાના સમાચાર છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. હાલમાં મુનવ્વર રાણા હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ છે ત્યારે ચોરીની આ ઘટના બની છે. પરિવારના સભ્યો તેમની સારવાર માટે હોસ્પિટલમાં છે. મીડિયા સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ, ચોરોએ તેમના ઘરમાં રાખેલા લગભગ 40 લાખના દાગીનાની ચોરી કરીને લઇ ગયા હતા. પોલીસે આ મામલે FIR નોંધી લીધી છે. પોલીસ ચોરોની તલાશ કરી રહી છે.

મુનવ્વર રાણા લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં F.I. ઢીંગરા એપાર્ટમેન્ટમાં ફ્લેટની અંદર રહે છે. તબિયત સારી ન હોવાને કારણે મુનવ્વર રાણાને PGIમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ચોરાયેલી જ્વેલરી મુનાવર રાણાની પુત્રી ફૌઝિયાના છે. વાસ્તવમાં મુનૌવર રાણાની પુત્રી ફૌઝિયા રાણા બિહારમાં તેના સાસરિયાના ઘરેથી અહીં તેના પિતાની તબિયત સારી ન હોવાથી તેમને જોવા માટે આવી હતી અને પોતાની સાથે તેના કેટલાક ઘરેણાં પણ લઇ આવી હતી. તેણે દાગીના એક થેલીમાં ભરીને સ્ટોર રૂમમાં રાખ્યા હતા. ત્યાર પછી તેણે ઘરેણાં જોયા તો તે ગાયબ હતા અને માત્ર ખાલી બોક્સ જ પડ્યા હતા. આ મામલે DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા કૌશિકનું કહેવું છે કે, ચોરીની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. CCTV ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે ચોરોની શોધ કરવામાં આવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મુનવ્વર રાણાની તબિયત ઘણા સમયથી સારી નથી. મે મહિનામાં પણ તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ આ જ રીતે તેમની તબિયત બગડી હતી. આ પછી તેને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુનવ્વર રાણા કિડનીની સમસ્યાને કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આ અગાઉ તેમની દિલ્લીમાં પણ સારવાર થઈ હતી.

મુનવ્વર રાણા પ્રખ્યાત શાયર અને કવિ છે. તેઓ ઉર્દૂ ઉપરાંત હિન્દી અને અવધી ભાષાઓમાં લખે છે. તેમને ઉર્દૂ સાહિત્ય માટે 2014નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2012માં, તેમને શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જો કે, તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમીને એ એવોર્ડ પરત કર્યો હતો. ઉપરાંત, આ સાથે જ, વધતી જતી અસહિષ્ણુતાને ટાંકીને, તેમણે ક્યારેય સરકારી એવોર્ડ નહિ સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.