ગણેશ મૂર્તિ વિસર્જનની તસવીરો-વીડિયો ક્લિક અને શેર કરવા પર પ્રતિબંધ, આ શહેરની પોલીસનો સખત આદેશ

27 ઑગસ્ટથી દેશભરમાં ગણેશોત્સવ ચાલુ થયો છે. ભક્તો ધામધૂમ અને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશને પોતાના ઘરમાં, શેરીઓમાં કે પંડાલોમાં સ્વાગત કરતા હોય છે અને વિધિ-વિધાનપૂર્વક તેમને સ્થાપિત કરતા હોય છે. ભક્તો 1.5, 3, 5, 7 અને 10 દિવસ સુધી બાપ્પાની ભક્તિ કર્યા બાદ તેમને વિદાઇ આપતા હોય છે. મોટા ભાગે સાર્વજનિક રીતે સ્થાપિત કરાયેલા ભગવાન ગણેશને અનંત ચૌદશના દિવસે વિદાઇ આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રની પુણે પોલીસે સરાહનીય કામ કર્યું છે, અને મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.

Visarjan1

મહારાષ્ટ્રની પુણે પોલીસે ગુરુવારે એક આદેશ જાહેર કરીને 4 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન વિસર્જન કરાયેલી ગણેશ મૂર્તિની તસવીરો અને વીડિયોનું ફિલ્માંકન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને સાર્વજનિક શાંતિ જળવાઈ રહે.

એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. પુણેમાં મૂર્તિઓનું વિસર્જન શનિવારે થશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રાકૃતિક જળાશયો અથવા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી ગણપતિ મૂર્તિઓના દૃશ્યોનું ફિલ્માંકન અને પ્રસારણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને સાર્વજનિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.

Donald-Trump-Dinner-Party
Donald Trump Dinner Party

પોલીસે કડક સૂચના આપી છે કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ હતી અને તે દિવસથી શરૂ થયેલ ગણેશોત્સવ 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ સુધી ચાલુ રહેશે. મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ, પાંચમા દિવસે અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.