ગણેશ મૂર્તિ વિસર્જનની તસવીરો-વીડિયો ક્લિક અને શેર કરવા પર પ્રતિબંધ, આ શહેરની પોલીસનો સખત આદેશ

27 ઑગસ્ટથી દેશભરમાં ગણેશોત્સવ ચાલુ થયો છે. ભક્તો ધામધૂમ અને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશને પોતાના ઘરમાં, શેરીઓમાં કે પંડાલોમાં સ્વાગત કરતા હોય છે અને વિધિ-વિધાનપૂર્વક તેમને સ્થાપિત કરતા હોય છે. ભક્તો 1.5, 3, 5, 7 અને 10 દિવસ સુધી બાપ્પાની ભક્તિ કર્યા બાદ તેમને વિદાઇ આપતા હોય છે. મોટા ભાગે સાર્વજનિક રીતે સ્થાપિત કરાયેલા ભગવાન ગણેશને અનંત ચૌદશના દિવસે વિદાઇ આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રની પુણે પોલીસે સરાહનીય કામ કર્યું છે, અને મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.

Visarjan1

મહારાષ્ટ્રની પુણે પોલીસે ગુરુવારે એક આદેશ જાહેર કરીને 4 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન વિસર્જન કરાયેલી ગણેશ મૂર્તિની તસવીરો અને વીડિયોનું ફિલ્માંકન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને સાર્વજનિક શાંતિ જળવાઈ રહે.

એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. પુણેમાં મૂર્તિઓનું વિસર્જન શનિવારે થશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રાકૃતિક જળાશયો અથવા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયેલી ગણપતિ મૂર્તિઓના દૃશ્યોનું ફિલ્માંકન અને પ્રસારણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને સાર્વજનિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.

Donald-Trump-Dinner-Party
Donald Trump Dinner Party

પોલીસે કડક સૂચના આપી છે કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ હતી અને તે દિવસથી શરૂ થયેલ ગણેશોત્સવ 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ સુધી ચાલુ રહેશે. મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ, પાંચમા દિવસે અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.